Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
અધ્યાત્મ
અને મહાન પરાક્રમને વળગી રહેવામાં આવે તો આજે પણ કોઈક વિરલ ધર્માત્મા નિજાનંદની ઝલકને પામીને મનુષ્યભવની સાચી સાર્થકતાને પ્રાપ્ત કરી શકે છે.
જેમ સાકર સર્વાગે મીઠી જ છે તેમ અનુભવી ધર્માત્માઓનો . બોધ પણ જીવને સર્વ પ્રકારે અવશ્ય સુખદાયી જ છે. માત્ર કોરી ભાવનાથી મોક્ષ થતો નથી. ભાવના પ્રમાણે પુરુષાર્થ કરીએ તો ક્રમશઃ વિકાસ થાય. મુમુક્ષુએ ધીમે ધીમે દુન્યવી કામના કલાકો ઘટાડી સત્સંગ, સ્વાધ્યાય આદિ સાધનાના કલાકો અવશ્ય વધારવાં જોઈએ. ઉત્તમ વસ્તુનો સમાગમ કરવાના ઉદ્યમમાં વ્યાવહારિક નુકસાન કે બીજી અગવડ વેઠવી પડે તો પણ પાછી પાની કરવી નહીં.
મોક્ષમાર્ગની સિદ્ધિ આત્માની નિર્વિકાર અને શુદ્ધ દશા પ્રગટ કરવાથી થાય છે. આવી દશાને બાધક મુખ્ય કારણ દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન છે. માટે સત્સંગ-સદ્ગુરુ-સદ્વાચનના યોગે, “દેહથી ભિન્ન, તેનો જાણનાર તે જ હું છું” એમ ફરી ફરી જ્ઞાનભાવનાના સંસ્કાર દઢ કરવા. “દુન્યવી કોઈ પદાર્થોનો હું પરમાર્થથી માલિક નથી, પણ માત્ર ટ્રસ્ટી છું એવી માન્યતા રાખવી. – આમ છતાં જ્યારે ચૂકી જવાય અને અહં-મમત્વ અને રાગદ્વેષના ભાવો થઈ જાય ત્યારે પ્રભુને પ્રાર્થના કરવી કે “હે પ્રભુ! મને સમતા રાખવાની શક્તિ આપો.” મોટી ભૂલ
A- ૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294