Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 283
________________ અધ્યાત્મ થાય તો પ્રાયશ્ચિત્ત લેવું. આવો અભ્યાસ સતત કરવાથી કામક્રોધ, નિંદા-ઈર્ષ્યા, મારું-તારું, માન-અપમાન વગેરે ભાવો ક્રમે ક્રમે ઢીલા પડી જાય છે અને આત્મશાંતિ અને આત્મશુદ્ધિનો અનુભવ થાય છે. સત્સંગ, વિશ્વાસ, ધીરજ અને સતત જાગૃતિથી આ સાધના કરવી. વિભાવો (કામક્રોધાદિ વિકારો ઉત્પન્ન થવાનું “ઉપાદાન' કારણ એ પોતાનું અજ્ઞાન તથા પ્રમાદાદિ છે. આ ક્રોધાદિ ભાવો આત્માના પ્રદેશમાં (અવસ્થામાં) જ થાય છે, માટે તે આત્માના કહેવાય; અને તે પોતાના અપરાધથી થાય છે, માટે પોતાના પુરુષાર્થથી મટાડી પણ શકાય છે. * ઉચ્ચ સાધકનો પુરુષાર્થ ૧. સ્કૂર્તિ : જીવનને સર્વ પ્રકારે ચેતનવંતુ બનાવી સુદ્રઢ અને ધ્યેયનિષ્ઠ બનાવવું. ૨. સમજણ : પરમસત્યની સ્વીકૃતિ દ્વારા ચિંતા અને તણાવથી રહિત બનવું. ૩. શરણાગતિઃ અહેનો અને સ્વચ્છંદનો વિલય કરવા પરમાત્મા - સદ્ગુરુની ઉપાસના કરવી. ૪. સમતા : ઉપરોક્ત તત્ત્વોના અભ્યાસના પરિપાકરૂપે સતત જાગૃતિવાળું, સાવધાન જીવન જીવવાની કળા હસ્તગત કરી સર્વત્ર સંવાદ, મૈત્રી અને મનોજયથી પરમ શાંતિનો અનુભવ કરવો. NA-૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294