________________
જીવન-વિજ્ઞાત
♦ દ્રવ્યાર્થિકનય આત્માના અભેદ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે અને પર્યાયાર્થિકનય આત્માના ભેદ-પ્રભેદોનું જ્ઞાન કરાવે છે. મોહનીય કર્મ બે કામ કરે છે :
૧. ઊંધી માન્યતા કરાવે છે, જેને દર્શનમોહનીય કહે છે. ૨. ઊંધું આચરણ કરાવે છે, જેને ચારિત્રમોહનીય કહે છે. આપણે બધા (આત્માઓ), એક નિત્ય-શાશ્વત, જાણનાર તત્ત્વ છીએ. કાળ આપણને મારી શકતો નથી. આયુષ્ય પૂરું થતાં આપણે એક શરીર છોડી બીજા શરીરમાં જવું પડે છે; જેને લોકો મરણ કહે છે.
ભગવાન મહાવીરે કાયાને કચડવાનું નથી કહ્યું, પણ કાયાને કેળવવાનું કહ્યું છે.
બહુ આરંભ અને બહુ પરિગ્રહ એ નર્કમાં જવાનો માર્ગ છે. (શ્રી તત્ત્વાર્થસૂત્ર)
કામી, ક્રોધી, લાલચી, ઈનસે ભક્તિ ન હોય; ભક્તિ કરે કોઈ સૂરમા, જાતિ વરણ કુલ ખોય.
(મહાત્મા કબીરદાસજી) ધર્માં જીવો પ્રત્યે સાચો અને સહજ પ્રેમ ન પ્રગટે તો સમ્યગ્દર્શન કેવી રીતે પ્રગટે? માટે જ કહ્યું છે : ‘ન ધર્મો ધાર્મિક વિના ।' (શ્રી રત્નકદંડ શ્રાવકાચાર, ગાથા - ૨૬) [ધાર્મિક મનુષ્યો વિના ધર્મ બીજે ક્યાંય રહેતો નથી.] ભગવાન મહાવીરે ધર્મ પામવા માટે નીચેની વસ્તુઓનો યોગ
Jain Education International
-J-૮૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org