________________
- અધ્યાત્મ
સમર્થ એવી સુયુક્તિ; ન્યાયાનુસારણી નિર્મળ બુદ્ધિ. ૩. અત્યંત નિર્મળ જ્ઞાનના ધારણ કરવાવાળા પરમ ગુરુઓનો
અનુગ્રહપૂર્વકનો દિવ્ય ઉપદેશ. ૪. નિરંતર અનુભવમાં આવતું, શુદ્ધાત્માના અનુભવરૂપ
પ્રચુર સ્વસંવેદન. ગુરુના ઉપદેશથી “સત્' પ્રત્યેની જે દૃષ્ટિ થઈ તે સાચી છે; છતાં તે પરમાર્થ દૃષ્ટિ નથી. પરમાર્થ દૃષ્ટિ તો પોતાના આત્મસ્વરૂપના અભ્યાસની પરિપક્વતાથી પ્રાપ્ત થતા અનુભવજ્ઞાન દ્વારા પ્રગટે છે. તે પરમ સત્ય છે. તેને નિશ્ચય મોક્ષમાર્ગ પણ કહેવાય છે.
જ્યારે સાચી ધર્મદશા પ્રગટે ત્યારે જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં તેની દિવ્યતા વ્યાપેલી જોવામાં આવે છે. યથા - “મેરે મન મેં રામ, તન મેં રામ, રોમ રોમ મેં રામ રે;
રામ સુમિર લે, ધ્યાન લગા લે, ગૌણ જગતકે કામ રે.” • સાચા જ્ઞાનીઓનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોય છે. તેમને
કોઈથી કાંઈ છુપાવવાનો ભાવ હોતો નથી. સાચી મુમુક્ષતા પ્રગટ કરીને, કોઈ પણ જિજ્ઞાસુ, તેમની કડક પરીક્ષા કરે
તો તે તેમને માન્ય જ હોય છે. • સંપ્રદાય અનિષ્ટરૂપ નથી, પણ સાંપ્રદાયિકતા અનિષ્ટરૂપ છે;
કારણ કે જ્યાં હઠાગ્રહ હોય, એકાંતની પકડ હોય ત્યાં જ સાંપ્રદાયિક સંકીર્ણતા ઊભી થાય છે. આમ થવાથી ઉદારતા
A- ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org