Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 269
________________ અધ્યાત્મ જ્યાં દેવાલય કે ગુરુમંદિર હોય, ત્યાં પ્રભુની સમક્ષ બે-ત્રણ કલાકનો સમય પ્રભુની ભક્તિ-સ્તુતિ-વંદના-નમસ્કાર-પૂજા-અર્ચના વગેરેમાં ગાળવો. આ માટેનો સમય સવારના ૬-૩૦ થી ૮-૩૦નો લગભગ ગણી શકાય. પણ બીજો સુયોગ્ય સમય પણ ચાલે. આવો આ ઉત્તમ બોધિ-સમાધિનો માર્ગ સાધવા માટે હે જીવ! હવે તારે કમર કસીને તૈયાર રહેવું યોગ્ય છે. ' આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે ઉલ્લસિત વીર્યવાળા પુરુષાર્થની આવશ્યક્તા : ૧. “સમરથ રામ ભજ્યા વિના, સમરથ હોય ન કોય; સમરથ રામ સદા ભજે, હરગીઝ સમરથ હોય.” ૨. બહિર્મુખ વૃત્તિ થકી, સ્કુરે સકલ સંસાર; વૃત્તિ અંતરમુખ થતાં, સ્વરૂપ સાક્ષાત્કાર.” ૩. “છેલ્લા સાથી બે ખરા, હિંમત ને વિશ્વાસ; એ બે વણ બીજા બધા, થાય નકામા ખાસ.” * પરિગ્રહ : ૧. પાપના સંચયનું એક મુખ્ય કારણ પરિગ્રહની લુબ્ધતા છે. તેનાથી પાપના દરવાજા ખુલ્લા જ રહે છે. ૨. ચારે બાજુથી આત્માને મહાસક્તિથી જકડી લે તેને પરિગ્રહ કહ્યો છે, જેનું બીજું નામ મૂર્છા પણ છે. જગતના જડ અને ચેતન પદાર્થોનો વારંવાર બુદ્ધિપૂર્વક પરિચય કરવાથી A Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294