________________
અધ્યાત્મ
જ્યારે આપણામાં વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું આવે ત્યારે જ આપણે નજીકના ભવિષ્યમાં સાક્ષાત્ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવાને લાયક બની શકીએ છીએ. કોરુ શાસ્ત્રજ્ઞાન જે આત્મજ્ઞાન ન પમાડે અથવા તે દિશા તરફ ન લઈ જાય, તેનું મોક્ષમાર્ગમાં કોઈ પ્રયોજન નથી. તેથી જ કહ્યું છે કે
૧. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.”
(શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૬૭)
૨. પોથી પઢિ પઢિ જગ મુવા, પંડિત ભયા ન કોય; ઢાઈ અક્ષર પ્રેમકે, પઢે સો પંડિત હોય.’
(મહાન સંતશ્રી કબીરદાસજી) હિંમતે મર્દા તો મદદે ખુદા' એમ જાણીને સાચો ધર્મ કરવામાં પરાક્રમ દાખવવું જોઈએ.
-
Jain Education International
-
ભાવ બગડ્યાં તેનું ભાવિ બગડ્યું કારણ કે જેવા ભાવ તેવો
ભવ.
♦ સુસંસ્કારોનો પાયો દૃઢ કરીને જો યથાર્થ બોધની પ્રાપ્તિ કરીએ તો ત્વરાથી અધ્યાત્મમાર્ગની સિદ્ધિ થઈ શકે.
** A-૬૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org