________________
અધ્યાત્મ
૨. તમારા કમાયા વગર ઘરના માણસોનું કામકાજ ચાલે
તો તમારે કમાવાનું બંધ કરવું નહીં તો તે જ દિવસે
આયોજન કરવું કે તે કામકાજ હું ક્યારે બંધ કરીશ? પરમાત્મદર્શનની પ્રાપ્તિ માટે આપણે આપણા જીવનની અગ્રિમતાઓ બદલવી પડશે; જેમાં બહુ રસ લઈએ છીએ તે ઓછો કરવો પડશે; તથા સત્સંગ-સદ્વાચનાદિ જે નથી કરતા, તેમને પ્રાથમિક ધોરણે અપનાવવાં પડશે અને તે પણ સમજણપૂર્વક અને ઉલ્લાસભાવથી.
જ્યાં સુધી ઇન્દ્રિયોમાં ચિત્ત લાગેલું રહ્યા કરે છે ત્યાં સુધી આત્મજ્ઞાન અને આત્મસમાધિ પ્રાપ્ત થવાં અશક્ય છે; કારણ કે વૃત્તિ પવિત્ર, અંતર્મુખ અને સ્થિર થઈ શકતી નથી. સર્વ પ્રકારના ધર્મોમાં અહિંસાને સૌથી મોટો ધર્મ કહ્યો છે; કારણ કે દરેક જીવ જીવવા ઇચ્છે છે, કોઈ મરવા ઇચ્છતું નથી. પરિવાર-નિયોજન થઈ શકે છે તો પરિગ્રહ-નિયોજન શા માટે ન થઈ શકે? અવશ્ય થઈ શકે છે. તે સાચું વ્રત બને તે . માટે અંતરની જિજ્ઞાસા, યથાર્થ દૃષ્ટિ અને યોગ્ય માર્ગદર્શન મેળવવાં જોઈએ.
જ્યાં સુવિચાર હોય ત્યાં વિવેક હોય છે. જો કુધ્યાન વારંવાર થાય તો વિવેક હાનિ પામે છે; માટે આત્મહિત થાય તેવા રૂડા વિચારો કરવા એ વિવેકના ઉત્પાદ અને રક્ષણ માટે જરૂરી છે.
A- ૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org