________________
અધ્યાત્મ
તેમાં પણ છેલ્લાં બે વળી વધારે બળવાન છે. દેહાદિ પર સૂક્ષ્મ રાગ વર્તતો હોય તેનું ભાન થવું કઠિન છે. માટે બની શકે ત્યાં સુધી માર્ગાનુસારીની ચર્યા પાળવાથી દેહાધ્યાસ ઘટશે અને સંભવતઃ સ્વચ્છેદવૃત્તિનો પણ નિરોધ થશે.
છેલ્લા પ્રતિબંધ વિશે વિચાર કરતાં, અનેક યુક્તિપૂર્વક વર્તાય તો જ સફળતા સંભવે છે. બસો-પાંચસો વખત, ધ્યાન સમય દરમિયાન અસફળતા મળે તોપણ નિરાશ થવા યોગ્ય નથી કે પોતાની ચર્યા ઢીલી કરવા યોગ્ય નથી. ફરી ફરી સત્પરુષોનાં ચરિત્રોનું, ગુણોનું સ્મરણ કરી વિવિધ પ્રકારના તત્ત્વવિચાર અને સ્વાધ્યાય-પ્રણાલિકાઓનું આલંબન લઈ વિવેકપૂર્વક દૃઢતાથી પ્રવર્તતાં દુર્જય એવો મનોજય ઘણે અંશે સિદ્ધ થઈ યથાયોગ્ય સમાધિમાં આત્માનુભવની વિવિધ શ્રેણિઓની સિદ્ધિ અર્પશે. આ પ્રકારે તે સાધનાનો ઉત્સર્ગમાર્ગ જાણવો.
હવે આવીએ અપવાદ માર્ગ ઉપર. તે માર્ગની આરાધનામાં એવી રીતે વર્તવું યોગ્ય છે કે જેથી આત્માનાં પરિણામો, પરિણામે ઉજ્જવળતાને પામે. જેઓ કથંચિત્ પરમાર્થમાર્ગમાં સહાયક છે એવા ત્યાગી, જ્ઞાની, તપસ્વી કે પરમાર્થ-સ્પૃહાવાળા આત્માર્થી-મુમુક્ષુજ્ઞાનીજનોનો સત્સંગ, ચાહે તે દૂરક્ષેત્રવર્તી હોય તો પણ સેવવો. તદુપરાંત, જે સતુશ્રુતસેવા, પૂજય પુરુષોનાં ચરિત્રોનું શોધન, અનુસંધાન, વ્યવસ્થીકરણ, તેમના ગુણાનુવાદ અને તેમની ચિરકાળ સુધી સાધકજીવોને સ્મૃતિ રહે તે અર્થે એમના સ્મારક-નિર્માણ અર્થે ગૃહસ્થ જીવોને પ્રેરણા અને માર્ગદર્શન આપવાં. | નિવૃત્તિક્ષેત્રમાણે, જ્યાં લોકોની અવરજવર નહિવત્ હોય, અને
A-
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org