Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 235
________________ અધ્યાત્મ અધ્યાત્મપદ્ધતિથી કથન કરીએ ત્યારે પુણ્યને શ્રદ્ધામાં ઉપાદેય ન માનવું જોઈએ, કારણ કે તે આસવ તત્ત્વ છે. જોકે સામાન્યપણે ઊંચી સાધનદશા પ્રાપ્ત થતાં સુધી તેની માત્રા જીવનમાં ઉત્તરોત્તર વધતી જ રહે છે અને વધાર્યા જ કરવાની છે. આમ છતાં આ વાત જ્ઞાની ગુરુ પાસેથી વિશેષપણે સમજવા યોગ્ય છે. વિવેકજ્ઞાન અને વૈરાગ્યની ભાવનાઓ સંસ્કાર જમાવવા/દઢ કરવા માટે ઉપયોગી છે, પણ લક્ષ અભેદનો કરવો જોઈએ; નહીં તો તે ભાવનાઓ મોક્ષનું કારણ બની શકતી નથી; કારણ કે નિર્વિકલ્પ અનુભવદશા અભેદના લક્ષ અને તેમાં સ્થિરતા થયા વિના પ્રગટતી નથી. પરમાર્થના લક્ષ વગરનો વ્યવહાર મોક્ષ સાધક નથી, પણ નિશ્ચયની સાથે સાથે ચાલે અને તેમાં પ્રેરક હોય તે વ્યવહાર મોક્ષ સાધક બને છે; અર્થાત્ મોક્ષમાર્ગની સિદ્ધિ માટે નિશ્ચયનય અને વ્યવહારનય એકબીજાની અપેક્ષા રાખે છે. Hurry = ઉતાવળ Worry = Fiat Curry = તીખા તમતમતા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ – આ બધાં મોક્ષમાર્ગમાં સાધકને અવરોધ કરે છે. ' દ્રવ્યમાં જેટલી પ્રભુતા છે તેટલી જ પર્યાયમાં પામરતા છે, એમ જ્યારે બંનેનો સાચો ખ્યાલ આવે ત્યારે જ સાચો મોક્ષનો પુરુષાર્થ ઊપડી શકે છે. આમ બનવાથી, અવસ્થામાં જે અવિદ્યા-કામ-ક્રોધ-લોભ-નિંદા-ઈર્ષ્યા વગેરે વિકારી ભાવો છે A- ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294