Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 263
________________ અધ્યાત્મ મારું મૂળ સ્વરૂપ છે’ એમ ખરેખર જાણે તો છેતરપિંડી, અપમાન, આપવડાઈ, લડાઈ-ઝઘડા વગેરે અવશ્ય ઓછાં થઈ જાય. ધર્મસ્થાનકોમાં સાંભળેલું કે વાંચેલું જીવનમાં પ્રયોગરૂપ બને, એ જોવાની જરૂર છે. જ્યાં સુધી ‘આત્મજાગૃતિ' કે ‘સ્મરણ’ દ્વારા દૈનિક જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનનો પ્રયોગ ન થાય ત્યાં સુધી જીવનમાં સત્યનો પ્રકાશ ચમકશે નહીં અને અજ્ઞાન-અંધકાર જશે પણ નહીં. પ્રવૃત્તિ દરમ્યાન આત્મજાગૃતિ, એટલે કે પંદર-વીસ મિનિટને અંતરે પ્રભુસ્મરણ-આત્મસ્મરણનો પ્રયોગ કરવાની ટેવ પાડવાની છે. શરૂઆતમાં આ ટેવ ઘણી અઘરી, શુષ્ક અને કંટાળારૂપ લાગશે પણ બે-ત્રણ વર્ષમાં અભ્યાસ થતાં તે સહજ અને શાંતિદાયક લાગશે. પૂર્વાચાર્યોની આજ્ઞા છે કે : आत्मज्ञानात् परं कार्यं न बुद्धौ धारयेत चिरम् । कुर्यात् अर्थवशात् किंचित् वाक्कायाभ्याम् अतत्त्परः ॥ શ્રીસમાધિશતક / ૫૦ અર્થાત્ આત્મજ્ઞાનમાં સહાયક ન હોય તેવું કોઈ પણ કાર્ય પોતાની બુદ્ધિમાં લાંબો સમય ધારણ કરવું નહીં; પ્રયોજનવશ કરવું પડે તો શરીર અને વાણીથી કરવું તન્મય થઈને નહીં. જે કોઈ મહાન સાધક, સત્સંગ કે સદ્ગુરુના યોગ દ્વારા, આત્માવલોકનની, પ્રભુ-સ્મરણની, સ્વરૂપજાગૃતિની, નિજ ઉપયોગપરિચયની કળાનો સાચા અર્થમાં અભ્યાસ કરીને તેને સિદ્ધ કરશે તેને આ જગતનું સર્વોત્તમ પદ-પરમાત્મપદ-પરમાનંદપદ Jain Education International - -A-૫૬ - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294