________________
ધ્યાત્મ
અર્થ થાય છે - રૂડી શ્રદ્ધા, સાચી શ્રદ્ધા, યથાર્થ શ્રદ્ધા. (Enlightened Vision) “સમકિત’નાં, ભારતીય પરિભાષામાં અનેક નામો છે; જેમ કે આત્મદર્શન, પરમાત્મદર્શન, આત્મજ્ઞાન, આત્મપ્રતીતિ, આત્મસાક્ષાત્કાર, પ્રભુદર્શન, ભગવદર્શન, આત્મસિદ્ધિ, બોધિસમાધિ, અંતરદૃષ્ટિ, દિવ્યદૃષ્ટિ ઈત્યાદિ. મોક્ષમાં જવા માટેની પહેલી નીસરણી એ સમ્યગ્દર્શનની
પ્રાપ્તિ કરવી તે છે. • સમ્યત્વપ્રાપ્તિ માટેની સાચી ભેદરૂપ સાધનાને વ્યવહાર
સમ્યક્ત ગણી શકાય. દીર્ઘકાળના અભ્યાસથી તે બધા ભેદો મટીને નિર્વિકલ્પ અવસ્થા થતાં નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટે છે. જેને વ્યવહાર સમકિત ન થયું હોય તેને નિશ્ચય સમકિત થાય નહીં. નિશ્ચય સમતિ થાય ત્યારે શું થાય? સમસ્ત અંતરંગ વ્યક્તિત્વ દિવ્યતાને વરી જાય અને તેનું પ્રતિબિંબ પોતાના બાહ્ય જીવનમાં પણ પડ્યા વગર રહે નહીં. યથા - “તેનાં નેણ ને વેણ બદલાય, હરિ રસ પીજિએ.” સરાગ સમ્યકત્ત્વ - ૪થા, પમા અને ૬ઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. વીતરાગ સમ્યકત્વ - ૭મા ગુણસ્થાનકે અને તેનાથી
HA-૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org