________________
અધ્યાત્મ
નિશ્ચયનયની મુખ્યતાથી, જીવાદિ તત્ત્વોનું વર્ણન કરેલું છે; જે પરમ સત્ય હોવાથી અત્યંત અધિકૃત છે જ.
આમ છતાં, વર્તમાન દેશ-કાળની સમગ્ર પરિસ્થિતિને લક્ષમાં લઈને, છેલ્લા ૨૦૦-૩૦૦ વર્ષોમાં, અનુભવી ધર્માત્માઓ દ્વારા લખાયેલ રૂડા અને અધિકૃત શાસ્ત્રો, આપણે વધારે સરળતાથી સમજણમાં અને પ્રયોગમાં લાવી શકીએ છીએ. માટે પ્રાચીન અને અર્વાચીન બન્નેનો યથાયોગ્ય સમન્વય ગુરુગમ દ્વારા આત્મસાત્ કરીને, જેમ સ્વપર હિત સધાય અને આપણું જીવન પવિત્ર, પ્રબુદ્ધ, પ્રશાંત, વિશાળદૃષ્ટિસંપન્ન અને સદ્ગુણી બને તેમ કરવું. મત અને હઠાગ્રહ ગૌણ થાય અને સમત્વ વધે તો જ સાચી આધ્યાત્મિક્તા સિદ્ધ થાય છે, જે પરમાનંદને આપવાવાળી છે. ઉત્તમ સાધકે, અવશ્ય આ પદ્ધતિને અનુસરીને, કોઈ પણ ઉપાયે તેની પ્રાપ્તિ કરવી.
વક્તૃત્વ અને સંતત્વ એ બન્ને મુખ્યપણે જુદાં છે; આ વાત કોઈ સૂક્ષ્મ દૃષ્ટિવાન મુમુક્ષુ જ જાણી શકે છે.
નીચે જણાવેલ ‘ચાર પ્રકારની ઉપાસનાથી આત્માનો અત્યંત વૈભવ અમને પ્રગટ થયો છે', એમ શ્રી સમયસારની પાંચમી ગાથાની ટીકામાં આચાર્યશ્રીએ ઉદ્ઘોષણા કરી છે :
૧. આ વિશ્વમાં પ્રગટ એવા ચેતન-અચેતન પદાર્થોને બતાવનાર સ્યાદ્વાદશૈલીવાળી ભગવાનની વાણીની ઉપાસના.
૨. સમસ્ત એકાંતવાદી વિચારધારાઓનું નિરાકરણ કરવામાં
Jain Education International
A- ૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org