________________
{ જીવન-વિજ્ઞાન ૪. ભાવકર્મ : આપણો આત્મા (આપણે) આખો દિવસ
મનમાં જે શેખચલ્લીના સારાનરસા વિચારો કરે છે અથવા થાય છે તે. અજ્ઞાનભાવ અને રાગદ્વેષના ભાવો
તેનાં ઉદાહરણો છે. ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મ બંધાય છે અને દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ બંધાય છે. આમ ભાવકર્મ અને દ્રવ્યકર્મનો સંબંધ અનાદિનો સ્વીકારવો જોઈએ. જેમ “પહેલું ઈંડું કે પહેલી મરઘી?” તેનો જવાબ નથી, તેમ દ્રવ્યકર્મ-ભાવકર્મ વિષે પણ સમજવું. કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં આપણે ૧૪૮ પ્રકારનાં કર્મોને શાસ્ત્રો દ્વારા જાણી શકીએ છીએ. તેમાં મુખ્યત્વે આઠ છે : યથા -
કર્મ અનંત પ્રકારનાં તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.'
(શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર, ગાથા-૧૦૨) ઉપર કહ્યાં તે આઠ કર્મોના મુખ્ય બે ભાગ છે – ઘાતી અને અઘાતી. ૧. આત્માના મુખ્ય અને મૂળ ગુણોનો ઘાત કરે તેનું નામ
ઘાતી કર્મ. તે ચાર છે : (૧) જ્ઞાનાવરણીય, (૨)
દર્શનાવરણીય (૩) મોહનીય અને (૪) અંતરાય. ૨. આત્માનો શરીર આદિ પદાર્થો સાથે સંયોગ, વિયોગ
કરાવે, શરીરની શાતા - અશાતા ઉપજાવવાં આદિમાં
1 /- ૧૦૦ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org