________________
જીવત-વિજ્ઞાત
- જિજ્ઞાસુ જીવ, તે કર્મોની સ્થિતિ અને અનુભાગને જ ઘટાડી શકે છે. પહેલીને સકામ નિર્જરા અને બીજીને અકામ નિર્જરા કહે છે.
જ્ઞાની પુરુષો કર્મોના ઉદયની રાહ જોતા નથી, પણ ઉદીરણા કરે છે; અર્થાત્ જ્ઞાન, ધ્યાન અને બાહ્યાવ્યંતર તપ દ્વારા સત્તામાં રહેલાં કર્મોને ઉદયમાં લાવીને બાળી નાખે છે.
ઉદય, ઉદીરણા અને સત્ત્વ આ બધો નિશ્ચયથી કર્મનો વિસ્તાર છે; પરંતુ જ્ઞાનરૂપ જે આત્માનું તેજ છે, તે બધાંથી ભિન્ન, એક અને ઉત્કૃષ્ટ છે.
-
જેટલા કષાય મંદ તેટલી કર્મોની નિર્જરા વધારે છે જો તત્ત્વજ્ઞાનસહિત હોય તો; નહિતર અકામ નિર્જરારૂપે, વધતું વધતું પુણ્ય બંધાય.
♦ સમ્યગ્દર્શન પહેલાં અકામ નિર્જરા હોય છે, સકામ નિર્જરા હોતી નથી; કારણ કે હજી મોહગ્રંથિનો ભેદ થયો નથી. • આયુષ્યમાં આઠ અપકર્ષ (eight occasions) આવે છે.
Jain Education International
આયુષ્યકર્મનો બંધ જીવન દરમિયાન એક જ વખત પડે છે. તે સમય સામાન્ય રીતે વર્તમાન જીવનનો ૨/૩ ભાગ પૂરો થયે આવે છે. ત્યારે ન બંધાય તો બાકીના જીવનના ૨/૩ ભાગે. એ રીતે વધુમાં વધુ આઠ વખત બને. ત્યાં સુધીમાં આયુબંધ ન પડે તો મરણકાળે છેલ્લા અંતર્મુહૂર્તમાં અવશ્ય બંધાય છે. માટે જ આયુષ્યનો ભરોસો ન હોવાથી શુભતિ
-
J-૧૦૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org