________________
અધ્યાત્મ
* સુધારસ :
સુધારસના બે પ્રકાર છે: દ્રવ્યસુધારસ : જ્યારે ધ્યાન કરવા બેસીએ અને અમુક કક્ષાની એકાગ્રતા થાય ત્યારે એક ખાસ પ્રકારનો રસ મુખમાં પેદા થાય તેને દ્રવ્યસુધારસ કહેવાય. આ દ્રવ્યસુધારસનો અનુભવ સાધકને થાય જ એવો કોઈ નિયમ નથી. ભાવસુધારસ : જેમ જેમ સાચી સાધનામાં આગળ વધે, કામક્રોધાદિ ભાવોનું બળ ઘટતું જાય, આત્મતત્ત્વનો લક્ષ બંધાતો જાય અને ગુરુગમ દ્વારા પ્રાપ્ત થયેલો જે શુદ્ધ બોધ “હું અખંડ નિર્મળ જ્ઞાનમાત્ર છું' તેની પકડ નિયમિત અભ્યાસ દ્વારા ચિંતનદશામાં પાકી થતી જાય ત્યારે કોઈ મહાપવિત્ર પળે, ચિત્ત સર્વથા શાંત થઈ જતાં, જે અતીન્દ્રિય આનંદની અનુભૂતિ પ્રગટે છે તેને ભાવસુધારસ ગણવો. તેનું વિશેષ સ્વરૂપ પ્રત્યક્ષ
જ્ઞાનીના સાન્નિધ્યમાં વધારે સ્પષ્ટ થઈ શકે. - સમાધિ-મરણ
આપણે જે કાંઈ સાધના કરીએ છીએ તે સાધનાનું ફળ આ જીવનમાં આપણને સુખ-શાંતિ મળે, જીવનને અંતે સમાધિ-મરણ પ્રાપ્ત થાય અને પરંપરાએ મોક્ષ મળે એ જ છે. માટે સાધના કરતી વખતે વિપરિત શારીરિક સંજોગોમાં પણ સમભાવ રહે તેવો પ્રયત્ન અને અભ્યાસ કરતા રહેવા જોઈએ. જો થોડાક તાવથી, ઉધરસથી, દુખાવાથી કે કબજિયાતથી આપણે ગભરાઈ જઈએ કે આકુળવ્યાકુળ થઈ જઈએ તો મૃત્યુ સમયે અત્યંત શારીરિક વેદના થતાં આપણે પરમાર્થનો લક્ષ કેવી રીતે રાખી શકીશું? કેવી રીતે
A-૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org