________________
{ જીવત-વિજ્ઞાત અમુક હદ સુધી દરેક ધર્મમાં સત્યાંશો કહ્યાં છે, પરંતુ આગળ જતાં અનેક પ્રકારનાં દાર્શનિક મતભેદો માલૂમ પડે છે. અધ્યાત્મશૈલી અને સિદ્ધાંતશૈલી એકબીજાની પૂરક છે; તેથી તેમને એ રીતે જ સમજવી જોઈએ. જગતના જીવોને આ શરીર પોતાનું લાગે છે, કારણ કે અનાદિ કાળના તેવા વિપરીત સંસ્કાર છે અને સત્સંગ, સબોધ તેમ જ તત્ત્વદષ્ટિનો અભાવ છે. વીતરાગતા' એ નિષેધાત્મક શબ્દ છે; “સમતા' તે એનું વિધેયાત્મક સ્વરૂપ છે. આત્માને ઓળખવાની જે બાહ્ય નિશાની છે તેનું નામ ઇન્દ્રિય કહેવાય છે. (આત્મા = ઈન્દ્ર) વ્યવહારથી જિનેશ્વર દેવ છે અને નિશ્ચયથી નિજેશ્વર (પોતાનો શુદ્ધ આત્મા) દેવ છે. જેને વ્યવહાર-વિવેક પ્રગટ્યો નથી તેને નિશ્ચય વિવેક પ્રગટતો નથી. જે હઠાગ્રહી હોય તે જ્ઞાની હોતી નથીકારણ કે હઠાગ્રહ કરવામાં કષાય તીવ્ર કરવા પડે છે, જ્યારે જ્ઞાનીને એવા તીવ્ર કષાયનો સદ્ભાવ હોતો નથી. આપણે બુદ્ધિપૂર્વક ધન આદિ જડ પદાર્થો સાથે અતિસંબંધ રાખ્યો
છે અને તેથી જડ જેવા થઈ ગયા છીએ! • “સમતા' શબ્દને ઉલટાવીએ તો “તામસ થાય. માટે તામસને
છોડીએ તો સમતાની ભૂમિકા પ્રાપ્ત થાય.
i J. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org