________________
– જીવત-વિજ્ઞાન ) વિશ્વમાં એક જ દ્રવ્યમાં આનંદ નામનો ગુણ છે અને તે છે “જીવ’ દ્રવ્ય; જે આપણે પોતે જ છીએ. તેને આત્મા પણ કહે છે. ભગવાને મનુષ્યના શરીરના એક રોમમાં પોણા બે રોગ પોતાના જ્ઞાનમાં જોયા છે; એટલે આપણા શરીરમાં કુલ ૫,૬૮,૯૯,૫૮૪ રોગ સત્તારૂપે હોય છે એમ શાસ્ત્રની આજ્ઞાથી જાણવા યોગ્ય છે. સાધના કરવા માટે અને નિર્વિકલ્પ થવા માટે અધ્યાત્મશૈલીનું અનુસરણ મુખ્ય છે; જ્યારે વસ્તુનું સર્વાગ વાસ્તવિક જ્ઞાન કરવા માટે અને તેના ભેદ-પ્રભેદો સમજવા માટે સિદ્ધાંતશૈલી મુખ્યપણે ઉપકારી છે. આમ છતાં પોતપોતાના સંસ્કાર, ગુરુપરંપરા, ક્ષમતા, રુચિ અને પરિપક્વતા પ્રમાણે, બંને શૈલીઓનો સમન્વય કરીને, જેમ પોતાનું અને પોતાના પરિચિતોનું સર્વાગ હિત સધાય તેમ કરવું, એ વિવેકી મનુષ્યનું કર્તવ્ય છે. સમુચ્ચય યોગ્યતાની અને વર્તમાન સન્દુરુષાર્થની ન્યૂનતા - આ બન્ને કારણોથી સાધનામાં ગતિ, ફુર્તિ અને પ્રસન્નતા આવતાં નથી. જેવી રીતે શરાબી પોતાને દુનિયાનો રાજા માને છે, તેમ મોહરૂપી મદિરા પીને જગતના મનુષ્યો પણ સાધારણ શક્તિ, સુયશ, સંપત્તિ, સગવડ અને સાધનોની વિપુલતા મળવાથી પોતાને સર્વોચ્ચ માને છે!! સાચો આધ્યાત્મિક સાધક હોય તે જાતિનો, લિંગનો કે શાસ્ત્રનો
1 4-૪૧ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org