________________
(જીવત-વિજ્ઞાન * જ્ઞાનલક્ષી વિવિધ પાથેય : ૦ આત્મા એ મુખ્યપણે અનુભવગમ્ય તત્ત્વ છે.
સતત આપણા ખ્યાલમાં રહેવું જોઈએ કે “હું ઉપયોગસ્વરૂપ છું.” આ જાગૃતિ રહેવા માટે માથે સગુરુ હોય તો આ કાર્ય સરળતાથી થઈ શકે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે નીચેની ત્રણ કક્ષાનો ક્રમિક અભ્યાસ કર્તવ્ય છે : ૧. પુરુષના વચનની યથાર્થ શ્રદ્ધા. ૨. સ્વચ્છેદનિરોધપણે તેમની આજ્ઞાનું પાલન અને તે દ્વારા
સત્પાત્રતાની પ્રાપ્તિ. ૩. નિયમિત તત્ત્વવિચારના અભ્યાસના પરિપાકરૂપે આત્માનો
અનુભવ. જેનાથી આપણો વૈરાગ્ય વધે અને જેમાં દિવ્ય પુરુષોનાં ચરિત્રોનું પ્રેરક આલેખન હોય તેવાં શાસ્ત્રો વાંચવાં. આ મડદું જેની વિદ્યમાનતાથી જીવતું-જાગતું રહે છે તે ચૈતન્યતત્ત્વ આપણે છીએ. જેમ તલનો સાર તેલ છે અને દૂધનો સાર માવો છે, તેમ જીવનના સારરૂપ આ ચૈતન્યને ગુરુગમ અને સત્પાત્રતાથી ઓળખીએ અને આરાધીએ તો માનવભવ ખરેખર સફળ થાય.
દેહ ન જાણે તેહને, જાણે ન ઈદ્રીય પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ.”
(શ્રી આત્મસિદ્ધિ, ગાથા-પ૩)
i J-પ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org