________________
જીવન-વિજ્ઞાન
આગ્રહ કરે નહીં. રોગી મનુષ્યને સુંદર, સાત્ત્વિક અને પૌષ્ટિક ભોજન પણ કડવું લાગે છે તેમ ભગવાન અને સંતોની ઉત્તમોત્તમ અનુભવવાણી પણ, અજ્ઞાની અને ભટકી ગયેલા મનુષ્યોને અરુચિકર અને અસત્ય લાગે છે!! દુનિયામાં એક જ શેઠ (પરમાત્મા) એવા છે કે જેમને ઘેર નોકરી કરનાર, શેઠ જેટલો જ સંપત્તિવાન થઈ જાય!! બીજા કોઈ પણ શેઠ આટલા બધા ઉદાર છે નહીં. આત્માની પ્રવૃત્તિને કથંચિત્ ત્રણ શ્રેણિઓમાં વહેંચી શકાય. (૧) અભિપ્રાય, જે શ્રદ્ધાસૂચક છે. (૨) વિચારધારા, જે જ્ઞાનસૂચક છે. (૩) તન્મયતા, જે ચારિત્રસૂચક છે. સંતોની કૃપા થવી એ વાત કાંઈ કાલ્પનિક નથી. સંતની કૃપા એ કોઈ પક્ષાપક્ષીની કે વ્યક્તિગત વાત નથી. કોઈ ઉત્તમ સુપાત્ર જીવ પર સંત-પુરુષની કૃપા ઊતરે છે; તેનું આખું વિજ્ઞાન છે, જેને આભામંડળ અથવા AURA કહે છે. “શક્તિપાતની વાત સાચી છે, પણ તે રહસ્યમય છે; ગુરુગમ દ્વારા ક્રમે ક્રમે પોતાની પાત્રતા પ્રમાણે સમજી શકાય છે. જેના હૃદયમાં પ્રેમ, મૈત્રી અને વાત્સલ્યભાવ નથી તેને
આત્મદર્શન થતું નથી. • ધર્મી જીવને તો ધર્મી જીવો સાથે વધારે પ્રેમ સંબંધ હોય.
જેને દુનિયાના પદાર્થો, સગાવહાલાં સાથે બહુ મોહાસક્તિ હોય, તે પ્રભુના માર્ગે જલ્દીથી આગળ વધી શકે નહીં.
1 4-૪૨ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org