Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરૂઆતમાં આપણે અઢી કિ.મી. ઉપર ચઢી ગયા. આ હવે આવે છે. એ જગ્યાએથી બે રસ્તા પડે છે. આ ડાબી બાજુએ આપણે ચડીને જવાનું છે અને જમણી બાજુવાળો રસ્તે ટ્રેક્ટર જાય છે. એ રસ્તો ‘ડાક-બંગલા’ સુધી જાય છે. (થોડું આગળ વધતાં) અને હવે, આવી જ્યાં ભાતું અપાય છે. તે ધર્મશાળા બાજુમાંથી સનનન સનનન કરતો અવાજ આવી રહ્યો છે. તે શીતળ ઝરણાંનો અવાજ છે. આ “ગાંધર્વ નાળું” છે. અહીં નિરંતર મીઠો કલરવ કરતું શીતળ ઝરણું વહ્યા જ કરે છે. ચાલો... હવે આગળ ચઢીએ. ચઢાણ કપરું છે કેમ ? કંઈ નહિ ધીરે ધીરે ચઢીએ... ચાલો અર્ધે આવી ગયા. આ જુઓ અહીં બે રસ્તા આવે છે. એક રસ્તો ગૌતમસ્વામીની ટેકરીએ જવાય અને બીજો રસ્તો પારસનાથની ટૂંકે જાય છે. આપણે ગૌતમસ્વામીવાળા રસ્તે ઉપર ચઢવાનું છે. પાર્શ્વનાથ છેલ્લે જઈશું ! (થોડે આગળ વધ્યા બાદ) આ બે દેરીઓમાં કોઈ પૂજ્યોનાં પગલા છે. (નામ બરાબર ખબર નથી.) અને આ આવ્યું તે સીતાનાળું. અહીં બારેમાસ સતત પાણી વહ્યા જ કરે છે. ૩૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90