Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બની ગયા ત્યારે ગરૂડ નામના યક્ષરાજ પ્રગટ થયાં અને રાજાને પ્રેરણા કરી કે વહેલી તકે સમેતશિખરજીની મહાતીર્થની યાત્રા કરવા પ્રયાણ કરો અને ત્યાં પરમાત્મા અરનાથપ્રભુનું જિનમંદિર જે બિસ્માર હાલતમાં ભોગ બની ગયું છે તેનો પુનરુદ્ધાર કરો. ગરૂડયક્ષની આ રીતની પ્રેરણા મળતાં રાજા આનંદવિભોર બની ગયા. વિશાળ પરિવાર સાથે સમેતશિખરજીની યાત્રા કરી અને પ્રભુ શ્રી અરનાથસ્વામી જિનાલયની હાલત જોતાં પોતાને ઘણું દુઃખ થયું કે હું રાજા હોવા છતાં મેં આ તીર્થની કાળજી ન લીધી માટે જ ગરૂડયક્ષે મને પ્રેરણા કરવાની તસ્દી લીધી... જો મને આ રીતની પ્રેરણા ન કરી હોત તો આ જિનમંદિરની શી દશા થાય ? શતવાર ધન્યવાદ છે યક્ષરાજને. તુર્ત જ તડામાર તૈયારીઓ થવા લાગી અને આ શિખર પર પરમાત્મા શ્રી અરનાથ-પ્રભુનો ભવ્ય જિનપ્રાસાદ કરાવી રાજાએ જીવનની સાર્થકતા અનુભવી... For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90