________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીને ચૈત્ર સુદ પાંચમના દિવસે દિવસના પૂર્વ ભાગમાં નિર્વાણ પામ્યા. અહીં આ ટૂંકની ઉપર કુલ : ૧ અબજ, ૮૦ કરોડ, ૮૪ લાખ મુનિવરો મોક્ષે ગયાં છે. આ ટૂંકની યાત્રા કરવાથી ૩૨ કરોડ પૌષધ-ઉપવાસનું ફળ મળે છે.
ભગીરથ રાજા એકવાર સગર મુનિને વંદન કરવા ગયા ત્યારે દેશના ફરમાવી તેમાં સમેત શિખર મહાતીર્થના મહિમાને રોમાંચક શૈલીમાં વર્ણવ્યો. સાથો સાથ જીર્ણોદ્ધાર માટે પણ પ્રેરણા કરી... સાંભળી સમેતશિખરજીનો ભવ્ય છરીપાળો સંઘ કાઢ્યો. સગરમુનિ પણ સાથે જ પધાર્યા ! સમેત શિખરગિરિ પર આવી ઇન્દ્ર મહારાજે બનાવેલા રત્નસૂપ ને વન્દન કર્યું ! સત્તરભેદી પૂજા ભણાવી... તેજ વખતે સગરમુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ... રાજાએ કેવળજ્ઞાન મહોત્સવ કર્યો અને એની અનુમોદના નિમિત્તે આ ટૂંક ઉપર મોટો જિનપ્રાસાદ તથા ૨૦ જિનાલયો બનાવી તેમાં અજિતનાથ આદિ વીશ પ્રભુની ચૌમુખી પ્રતિમાઓ ભરાવી.
હવે પારસનાથ ભગવંતની ટૂંક તરફ આગળ વધીએ એટલે થોડું નીચે ઉતરતાં નેમિનાથજીની ટૂંક આવે છે.
(૮૦)
For Private and Personal Use Only