________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અને એમાં પણ સૌથી વધુ તીર્થકર-પ્રભુ સમેતશિખરભૂમિ ઉપર નિર્વાણપદને વર્યા છે. એટલે નિર્વાણપદને મુક્તિપદને પ્રાપ્ત કરવા માટે વીશ વીશ પ્રભુની નિર્વાણ સ્થલી સમાન સમેતશિખરજી મહાતીર્થ સર્વોત્કૃષ્ટ કક્ષાનું આલંબન ગણાય. આથી જ આ મહાતીર્થની યાત્રાનું ઊંચેરું મહત્ત્વ દર્શાવ્યું છે...
મુનિવરની વાણી સાંભળી રાજા સમરદેવને સમેતશિખરની યાત્રા કરવાની ઉતાવળ જાગી... અને ઉતાવળે નાના સરખા સંઘ સાથે સમેતશિખરજી મહાતીર્થ પહોંચ્યા. ભાવથી યાત્રા કરી . અને ઠાઠ-માઠથી સત્તરભદીપૂજા ભણાવી અને એથીય વિશેષ લાભ મેળવવા શ્રી મલ્લિનાથ પ્રભુના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવી આ ભવનું ભવ્યાતિભવ્ય ભાતું બાંધી તૃપ્તિ માની. અરિહંત ચેઈયાણ કરવું.
થોય પ્રમાણ નય નિક્ષેય ગ્રંથિત, અંગ બાહ્ય પ્રવિષ્ઠ હૈ, મદ મોહ માયા તમ વિદારક, આત્મ સાધન ઇષ્ટ હૈ, સૂરિવર રાજેન્દ્ર ભાષિત સુખ સંપદ કારિણી, વાણી યતીન્દ્ર જ્યન્ત વન્દ, વિમલ ભવનિધિ તારિણી !
(૩)
For Private and Personal Use Only