________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીર પહોરાવી. બાદ પ્રસન્નતાપૂર્વક મુનિવરને વંદન કરવા ગયા. રોગનિવારણાર્થ પૃચ્છા કરતાં મુનિવરે સુંદર ઉપાય દર્શાવ્યો. તેઓશ્રીએ ફરમાવ્યું કે રાજન્ ! વીશ અટ્ટમ કર્યા છે તો વીશ તીર્થંકર પ્રભુની નિર્વાણભૂમિ સ્વરૂપ સમેતશિખર તીર્થનો ભવ્ય મંડલ રચાવો. એમાં વીશ પરમાત્માની પ્રતિમા ભરાવો અને તેમાં કાળા કપડાં પહેરીને વીશસ્થાનક આરાધો.
રાજાએ અક્ષરશઃ પ્રેરણાને ઝીલી લીધી અને જણાવ્યા મુજબ જ ઠાઠ-માઠથી આરાધના કરી. ત્યારે ધર્મનાથ પ્રભુના કિન્નોરયક્ષ અને પ્રજ્ઞપ્તિ દેવી પ્રગટ થયાં. રાજાને એક દૈવીભેરી (નાગ) આપ્યું. તેના અવાજ માત્ર સાંભળવાથી રોગ દૂર થાય ! તેનાથી રાજા સ્વસ્થ થયાં.
સમેતશિખર મહાતીર્થના પ્રભાવે સ્વસ્થતા મળી હોવાથી સમેતશિખરજી યાત્રા કરવા ગયા. ત્યાં ધર્મનાથ પ્રભુની ટૂંકને શોધતાં હતાં ત્યારે દત્તવર ગિરિથી એક મુનિવર પધાર્યા અને જણાવ્યું કે ધર્મનાથ પ્રભુની નિવણ ભૂમિ અહીં છે. રાજાએ ત્યાંની યાત્રા કરી અને તે ટૂંક ઉપર ધર્મનાથ પ્રભુનો ભવ્યાતિભવ્ય જિનપ્રાસાદ કરાવી દત્તવર ટૂંકનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
૧.
For Private and Personal Use Only