________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ ૨૨૧ शक्रस्तवः पठितो द्रष्टव्य इति । न च प्रतिमाया ज्ञानदर्शनचारित्ररहितत्वादनाराध्यत्वमिति वाच्यम्, ऋषभादि
– સંબોધોપનિષદ્ - સ્તવપૂર્વક જ શકસ્તવપાઠ કર્યો હતો, એવું જોવા યોગ્ય છે. (તે તે સૂત્રમાં આવું વર્ણન છે એ ધ્યાનમાં રાખવું જોઇએ.) આ રીતે દ્રવ્યસ્તવની ઉપાદેયતા સિદ્ધ થાય છે. (દેવોમાં પણ ધર્મ છે. આ વિષયમાં વિશેષ જિજ્ઞાસુઓએ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા કૃત ‘દેવધર્મપરીક્ષા ગ્રંથ તથા નવનિર્મિત ગુર્જર ટીકા “દેવધર્મોપનિષદુનું અવલોકન કરવા યોગ્ય છે.)
શંકા - પ્રતિમાં જ્ઞાન, દર્શન, ચારિત્રથી રહિત હોવાથી અનારાધ્ય છે. માટે તેની આરાધના કેમ કરાય? - સમાધાન - એમ તો શ્રી ઋષભદેવ આદિનું નામ પણ વર્ણપંક્તિરૂપ કે ભાષાવર્ગણાના પુદ્ગલરૂપ હોવાથી જ્ઞાનદર્શન-ચારિત્રથી રહિત છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર તો આત્માના પર્યાયરૂપ છે, માટે નામમાં જ્ઞાનાદિ સંભવિત નથી. તો જે કારણથી પ્રતિમાની આરાધાનો નિષેધ કરો છો, તે જ કારણથી નામની આરાધનાનો પણ નિષેધ થઈ જશે. તેથી શ્રી ઋષભદેવ આદિના નામોત્કીર્તિનમાં પણ સમાનરૂપે અનારાધ્યતાની આપત્તિ આવશે.
પૂર્વપક્ષ - ભલે આપત્તિ આવતી. અમે નામને પણ