Book Title: Purnna Pagthare
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 14
________________ આત્મશ્રીની પૂર્ણતા એને થાય કે હવે ઊડીએ, ત્યારે પાંખો ફફડાવી ઊડી જાય છે. સાકરની માખીને કેઈ બંધન નથી. સ્વાદ છે, સ્વતંત્રતા પણ છે; મધુરતા અને મસ્તી બને છે. એણે સ્વતંત્રતાને વેંચીને મધુરતા માણી નથી. આ જીવનમાં તમે રહો. તમને મકાન મળે, વૈભવ મળે, સમૃદ્ધિ મળે, સત્તા વગેરે ઘણું ઘણું મળે. એ પુણ્યના પરિણામે મળેલી આ બધી વસ્તુઓમાં પણ તમે સાકરની માખી જેવા અલિપ્ત રહે. તમે તમારા આત્માની સ્વતંત્રતાને આસક્તિની મીઠાશમાં નાખી ન દે, બંધાઈ ન જાઓ. સાકરની માખી આ સ્વાદ માણે છે પણ પિતાની પાંખને સદા સચેત રાખે છે. ધારે ત્યારે એ ઊડી જાય છે. બીજી માખી પથ્થર ઉપર બેઠેલી છે. એમાં ભલે મીઠાશ કાંઈ ન હોય, સ્વાદ કાંઈ ન હોય પણ એને માટે સહથી મોટી વાત સ્વતંત્રતા છે. એ જ્યારે ધારે ત્યારે ઊડીને જઈ શકે, ધારે ત્યારે નીકળી શકે, એને બાંધનાર કેઈ નથી. પથ્થર ઉપર આસ્વાદ નથી પણ સ્વતંત્રતા છે. ' - ત્રીજા પ્રકારમાં મધના બિંદુઓ પર બેઠેલી માખી આવે છે. એ માખીને મધ મળે છે, મીઠાશ મળે છે. જ્યાં સુધી મધ ચૂસે ત્યાં સુધી મસ્તાની બની રહે છે. પણ જેવી ઊડવા જાય ત્યાં બંધન. એ ઊડી શકે નહિ. મધની ચીકાશે એની પાંખને પરવશ બનાવી દીધી છે, એ પંગુ બની ગયેલી છે. ઊડવા જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે ઊડી શકાતું નથી. જ્યાં આસકિત છે ત્યાં મરણ છે. એ ઊડી નથી શકતી, તરફડે છે અને જે મધમાં મીઠાશ માણતી હતી એ મધમાં જ એ મરી જાય છે. ચેથી માખી લીંટમાં પડેલી હોય છે. એને આસ્વાદમાં

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 210