________________
જીવનને પૂર્ણ કેમ બનાવવું?
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णम् उदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ગાધીજીની પ્રાર્થનામાં આ સુભાષિતને સમાવેશ થયેલ છે. આ સુભાષિત પ્રત્યેક પ્રભાતની પ્રાર્થનાના વાતાવરણને અર્પણના મંગળમય ભાવથી ભરી દે છે. એમાં સમર્પણની ઉલ્લાસમય અભિલાષા છે.
પ્રવૃત્તિનું કેન્દ્ર નિવૃત્તિ છે. પણ નિવૃત્તિ મેળવવા પ્રવૃત્તિ આવશ્યક છે.
મનુષ્યજીવન એ એક પ્રયાણ છે, યાત્રા છે, ક્યાંક જવાનું છે, આગળ દિશા છે, પણ ધ્યેય નિશ્ચિત અને અચલ છે.
આપણે પૂર્ણતાએ પહોંચવાનું છે. પહેચનાર પૂર્ણ છે પણ કામલેભની અપૂર્ણતામાં એ પૂર્ણને ભૂલી ગયા છે. પૂર્ણને લક્ષ્યમાં રાખી પ્રયાણ કરે તે જ પૂર્ણમાં મળી પૂર્ણ બને
મનુષ્ય પૂર્ણ પ્યાસી છે. તમે જોશે કે સંસારમાં બધા પ્રાણીઓની ગરદન અને દષ્ટ નીચે છે જ્યારે મનુષ્યની દ્રષ્ટિ આકાશ પ્રતિ છે. એનું મસ્તક ઉન્નત છે. આથી મનુષ્યને [૧૦૦]