Book Title: Premavatar
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 171
________________ પહોંચ્યો કે શ્રદ્ધાધન મૃગો ચારે પગે કુદી રહ્યાં. અને વનનાં મૃગમાત્ર અહીં વાડામાં આવીને વસ્યાં. નાનાં સુકોમળ સસલાંઓનો પણ જાણે સુખનો સૂર્ય ઉદય પામ્યો હતો. હવે સસલાના સમાજે આ વાડાની ભૂમિને પોતાનું વતન માન્યું અને બધાં ત્યાં આવીને વસી ગયાં. જીવનમાં નવી બહાર આવી ગઈ. અને પશુરાજ્યમાં અનોખો આનંદ છવાઈ ગયો. જેમની હાકથી વસ્તી ધ્રુજી રહેતી, એ વાઘ-દીપડા સાવ નરમ પડી ગયા. પહેલાં તો એ આખા જંગલ પર પોતાની શેહ ફેલાવતા, હવે બિચારા ગર્જના પણ ભાગ્યે જ કરતા. મૃગ, સસલાં ને બીજાં જીવોને આ રીતે અહીં આંતરિક સુખ તો મળ્યું, પણ સાથેસાથે બાહ્ય સુખમાં પણ સવિશેષ વૃદ્ધિ થતી લાગી. આ નવી પરિસ્થિતિમાં વનના રાજા ગણાતા સિહભાઈને પણ શાણા થઈ જવું પડયું. ધીમે ધીમે ત્યાં નિર્ભયતા અને પ્રેમનું વાતાવરણ પથરાઈ ગયું. કોઈ વાર દીપડા કે ચિત્તા જાનવરનો શિકાર કરતા, પણ બીજે દિવસે એમની ભયંક વલે થતી! સવારથી પ્રેમધન પુરુષો એની શોધ આદરતા અને બપોર સુધીમાં તો એને ચાર રસ્તા વચ્ચે આણી, શૂળીએ ચઢાવવામાં આવતા , આમાં ન દયો, ન માયા જોવાતી! રે ! સંસારમાં જો બધે બળનું સામ્રાજ્ય પ્રસરે તો ગુંડાઓ જ રાજ ચલાવે! જે નિર્બળનું રક્ષણ કરે એ જ સાચો બળવાન ! રાજ્યસ્થાપનાનું મૂળ ધ્યેય પણ એ જ કહે, ‘હું તારો રાજા છું. હું ધારું તે કરી શકું છું. જે કરું તે તારા કલ્યાણને અનુલક્ષીને જ કરું છું, એમ તારે સમજવું !” - સસલાને ઇન્કાર કરવાનું કોઈ કારણ નહોતું. એ બે હાથ જોડી મસ્તક નમાવી ને વાતનો સ્વીકાર કરી લેતો. પણ સિંહ અનુગ્રહ કરતો હોય એમ ઉદારતાથી સસલાનો ભલે કરતો. પણ આ આદાન-પ્રદાન નિર્બળતાને અનુલક્ષતું હતું. શાણા સસલાનો સમાજ આ જુલમ તરફ ઊકળી ઊઠ્યો હતો, પણ શું કરવું એ કંઈ સૂઝતું નહિ. ભગવાને લડવા માટે પંજા અને કરડવા માટે રાક્ષસી દાંત એમને આપ્યાં નહોતાં. તેઓએ એક દહાડો ઠરાવ કરીને સર્વ જીવોના દેહની રચના કરનાર બ્રહ્માજીની સામે ઠપકાની દરખાસ્ત પેશ કરી, અને બ્રહ્માજી એ જાણે બુદ્ધિ પેશ કરી. સસલા લંબકર્ણનો આજે સિંહદાદા પાસે જવાનો વારો હતો. લંબકર્ણના માત્ર કાન લાંબા હતા એમ નહીં,. એની બુદ્ધિ પણ લાંબી હતી. એ ઘરથી જ મોડો નીકળ્યો. વૃદ્ધ સસલાઓએ એની આ અનિયમિતતા બાબત ભારે ઠપકો આપ્યો, ને આ પગલું આખા સમાજને માટે ગેરસમજણ ઊભી કરનારું ને સરવાળે ખોટી અસર કરનારું થશે, એમ સમજાવ્યું. પણ લંબકર્ણ તો લહેરી હતો. ધીરે ધીરે હવા ખાતો, ડોલતો ડોલતો સિંહદાદાની ગુફાએ પહોંચ્યો. સિંહદાદાને તાજો પૌષ્ટિક નાસ્તો કરવાની આદત પડી ગયેલી, એટલે આજે વિલંબ થઈ જવાથી એ જરા ગુસ્સામાં હતા, એમણે હું કાર કરી પૂછયું, ‘રે, તું અપરાધી કોણ છે ?” લંબકર્ણ લહેરી છું. હજૂર !' ‘મારા શાસનની કેમ ઉપેક્ષા કરી ?” ‘હજૂર ! શાસન કોનું એનો નિવેડો આપે લાવવો પડશે.” કેમ ?* એક બીજા સિંહદાદાએ મને માર્ગમાં આંતર્યો, અને કહ્યું કે મને કેમ તારો સમાજ ભક્ષ ધરતો નથી ?” ‘એમ કે ? આ વનસ્થળીમાં વળી બીજો કોઈ રાજા છે ખરો ?' ‘હા, હજૂર.’ ‘ચાલ, મને બતાવે. મારા હરીફને હું પળવાર પણ જીવતો રાખવા ઇચ્છતો સિંહની ગુફાઓ ખાલી પડી. સસલાંઓએ એ ગુફાઓને કામમાં લીધી. એક ગુફાને ચર્ચાસભાનું સ્થાન બનાવ્યું. બીજાને રાજસભા બનાવી અને સવારસાંજ સસલાંઓ એકત્ર થવા લાગ્યાં. એ લોકોએ નક્કી કર્યું કે બુદ્ધિ એ જ સંસારમાં મોટી વસ્તુ છે, બળ કાંઈ નથી ! બળનું ગુમાન તો બેવકૂફો કરે, આ વખતે એક અદ્ભુત બનાવ બન્યો. એક સિંહદાદાની ભારે જોહુકમી! રોજ સારામાં સારાં સસલાંઓનો ભક્ષ કરે; ખાય એથી બગાડ વધુ કરે ! આ પછી સસલાં અને આ સિંહદાદા વચ્ચે એક સમજૂતી થઈ કે રોજ એક સસલાએ નિયમિત રીતે સિંહદાદા પાસે જવું. એમને સલામ કરવી, અને પછી ચરણ આગળ પોતાની દેહ અર્પણ કરીને કહેવું, ‘સસલાના સમાજના કલ્યાણ માટે આપ મારો ભક્ષ કરી, મને અનુગૃહીત કરો, દેવ !' ભારે અનુગ્રહ કરતાં હોય તેમ સિંહદાદા એ ગરીબ પ્રાણી તરફ જુએ અને 320 પ્રેમાવતાર થી* પશુસૃષ્ટિ D 321

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234