Book Title: Premavatar
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 234
________________ પૃથ્વીનો પાટલો પાપથી લેપાઈ ગયો છે. આર્ય-નાગના મિલન વગર એ ધોવાશે નહિ ! આર્યપુરુષ ને નાગકન્યાનો પુત્ર તે આસ્તિક. આ પુત્રે-બટુકે જનમેજય રાજાને નાગ-યજ્ઞ કરતો વાર્યો, અને પૃથ્વી પર ક્ષમાનો સંદેશ પાઠવ્યો ! વેરથી વેરની વેલી વધે છે. એને ફળ, મૂળ ને ફૂલ બેસે છે. ક્ષમાથી વેર ઘટે છે, ને સ્નેહ વધે છે ! તમનો ત્યાગ કરો ! રોગ-દ્વેષથી પર રહો ! નિષ્કામ કર્મ કરો ! - પૃથ્વીના ગુંજબમાં આ પડઘા એ દિવસે પડ્યા. આજે પણ યુદ્ધ કે વેરની અંધિયારી ઊભી થાય છે, ત્યારે એ પ્રેમાવતારના સંદેશ યાદ આવે છે. ધજ્ય પહેલું છે. એ વિશ્વમૈત્રીનું ચાહક છે. રાજ્ય એટલે જેમાં પ્રજા રંજન પામે તે, આમાં જીવમાત્રની સમાનતાનો સ્વીકાર એ પહેલો સિદ્ધાંત છે. દેશરાજ્ય ગમે તેવું ઊંચું હોય, પણ ધર્મરાજ્યનો એ એક ભાગ માત્ર છે. પહેલું ધર્મરાજ્ય: બીજું બધું એ પછી. સૃષ્ટિમાં વિશ્વરાજ્યનો પહેલો નીતિનિયમ તે પ્રેમ ! (સમાપ્ત) મહાગુરુનો આશ્રમ 1 446

Loading...

Page Navigation
1 ... 232 233 234