Book Title: Premavatar
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 231
________________ જેવું બનાવીને એમણે શસ્ત્રો હાથ ધર્યાં. અને જે યાદવો પોતાના પ્રાણરૂપ હતા. એ યાદવોને વધુ અપકૃત્ય કરતાં વારવા એમને એમનો ઘાત કરવો પડ્યો ! રે ક્રૂર વિધાતા ! આમ કોઈ પણ જાતના કારણ વગર પ્રભાસતીર્થે મહાભારતના યુદ્ધનેય ભુલાવી દે એવો વિનાશકારી યુદ્ધ કાંડ સરજાયો ! ધીમે ધીમે ગૃહકલેશનો આ હુતાશન વધુ ભડભડવા લાગ્યો. જેમ જેમ આ સર્વનાશની વાત ફેલાતી ગઈ તેમ તેમ દૂરથી અને નજીકથી યાદવોનાં ટોળેટોળાં એ યાદવાસ્થળીમાં જોડાવા આવતાં ગયાં, અને પોતાનાં સગાંવહાલાંને મદદ કરતાં કરતાં કાળદેવતાના ખપ્પરમાં હોમાઈ ગયાં ! યાદવકુળને માટે તો જાણે સર્વનાશનું ચક્ર કરવા માંડ્યું હતું. એ ચક્રમાં યાદવોનો સર્વનાશ રચાઈ ગયો. 62 પરમ જ્યોતિની વિદાય રૂડારૂપાળા અને મઘમઘતા ઉદ્યાનમાં જાણે લાવારસ વરસી રહ્યો હતો ! વૃક્ષો નામશેષ થયાં હતાં; એના ટૂંઠાં અંતરને વેદનાથી ભરી દેતાં હતાં. આવો હતો યાદવાસ્થળીઓ વરસાવેલો સર્વનાશ ! દેવોને પણ ઝાંખા પાડે તેવા યાદવોની લાશો પવિત્ર પ્રભાસતીર્થમાં યત્રતત્ર રઝળતી હતી. શ્રીકૃષ્ણ અને બલરામ આ દારુણ દૃશ્ય જોઈ શક્યા નહિ. બલરામે પ્રભાસતીર્થના સમુદ્રના કિનારે જ યોગ સમાધિ લઈને પ્રાણત્યાગ કરી પોતાની આત્મવેદનાનો અંત આણ્યો ! શ્રીકૃષ્ણની અસહ્ય વેદનાની ચિંતામાં જાણે ઘી હોમાયું. એમનું આત્મમંથન વધુ ને વધુ ઘેરું અને વધુ આત્મલક્ષી બનતું ગયું જ ન માલુમ એક જિંદગીમાં કુટુંબ કલેશના કેટકેટલાં મહાભારત નીરખવા સરજાયાં હશે ! કેટકેટલી યાદવાસ્થળીઓ જોવાની લખી હશે ! શ્રીકૃષ્ણ અપૂર્વ આત્મચિંતનમાં એક પીપળા નીચે આવીને બેઠા; જાણે કમર તૂટી ગઈ હોય તેમ આડો પડ્યો. હિંસાનું ચક્ર તો આટલા સર્વનાશ પછી પણ હજી જોરજોરથી ઘૂમતું હતું-કોઈ મહાપ્રાણ પુરુષના પ્રાણ હર્યા વગર એ જાણે શાંત થવા માગતું ન હતું ! સિંહાસનના બેસનારને આ પીપળો આજે બહુ ભાવી ગયો હતો. શ્રીકૃષ્ણ એ પીપળા નીચે ચિંતન કરતા સૂતા હતા, એવામાં એમના પદ્મશ્રીથી અંકિત પગના તળિયામાં એક તીર આવીને પેસી ગયું ! લોહીનો ફુવારો છૂટ્યો ! - તીર મારનાર નજીક આવ્યો. શ્રીકૃષ્ણ તેને ઓળખ્યો, અને એને ક્ષમા આપતાં કહ્યું, 440 પ્રેમાવતાર

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234