Book Title: Premavatar
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 204
________________ 53 ભાભી વિલીન ન થઈ જાય તેની સાવચેતી રાખી ! આવું રૂપ તો સદા અભિનંઘ છે ! આજ આંતરતૃપ્તિ થઈ. નરના અંતરમાં બેઠેલો નારીના સુરૂપદર્શનનો ભાવ તૃપ્ત થઈ ગયો; એની ઝંખના ઝંખવાઈ ગઈ ! નર વધુ આગે બઢો. નારીની પ્રતિમા પર વીજે પ્રકાશ ઢોળ્યો, ગર્જનાના ઢોલે જયજયકાર પોકાર્યો ને નરને અદ્ભુત દર્શન લાધ્યાં ! નર ધસ્યો; પણ નારી વાદળની જેમ દૂર સરી ગઈ ! જાણે નિર્જીવ પ્રતિભા કોઈ કરામતથી સજીવ બનીને પથ્થરોની ઓટમાં સમાઈ ગઈ, અને થોડી વારમાં ચીરાચ્છાદિત થઈને બહાર આવી. એ નારીએ અવાજ કર્યો, ‘રથનેમિ !' આકાશની વીજ પૃથ્વી પર પડે ને હરિયાળીનો વિનાશ કરી નાખે, એમ આ શબ્દોએ નરને આઘાત આપ્યો ! એને પોતાની સ્વપ્નસમાધિ તૂટ્યાનો ખેદ થયો. રે ! વાસ્તવ મારે નથી જોવું, કલ્પનાનું મારું ચિત્ર સજીવ રહો ! એ ચિત્ર જોતાં જોતાં મને મૃત્યુ પ્રાપ્ત હો ! આ નયનથી હવે અન્ય રૂપ નથી જોવાં ! પણ કઠોર વાસ્તવિકતા સામે ખડી હતી : એકલો નર, એકલી નારી અને સાવ એકાંત ! આ તો ધૃત અને અગ્નિનો સંગમ ! નારીએ તરત અહીંથી ભાગી છૂટવું જોઈએ. ભાગી છૂટતાં પગ ભારે થઈ ગયા હોય તો ચીસો પાડીને જ્યાં ત્યાંથી માણસોને સાદ દેવો જોઈએ; પણ આ નારી પણ નક્કી ન કરી ગજવેલની પૂતળી લાગી. એણે ફરી કહ્યું, ‘રથનેમિ !' શબ્દોમાં સામર્થ્ય ગાજતું હતું. એ સામર્થ્ય નરબંકો રથનેમિ અનુભવી રહ્યો. અંધારેઘેરી ગુફામાં જાણે બે આત્માની અગ્નિપરીક્ષા થતી હતી. ધૃત અને અગ્નિ ભેગાં મળ્યાં હતાં; એ એકબીજાથી કેવાં ચલિત થાય છે, એનો આજે ફેંસલો થવાનો હતો. રથનેમિ વિચારતો હતો; આવા એકાંત સ્થાનમાં મારા નામનો ઉચ્ચાર કરનાર આ નમણી નારી કોણ હશે ભલા ? પળવાર એ ઊંડા વિચારમાં ઊતરી ગયો. પણ પળવારમાં જ એને થયું, આ તો ચોક્કસ રાજ્યશ્રીનો જ અવાજ ! રથનેમિની વાસનાનો વડવાનળ ભડકી ઊઠ્યો, એણે ભારે મમતાભર્યા સ્વરે કહ્યું, “કોણ ? ભાભી ?’ રથનેમિનો મનબર્પયો થનગની રહ્યો. સામેથી ફરી એ જ શબ્દટેકાર સંભળાયો, ‘રથનેમિ !' ભાભી' શબ્દમાં વાસનાનો કેફ ભર્યો હતો. ‘રથનેમિ' શબ્દમાં આત્મજાગૃતિનો ટંકાર ગાજતો હતો. સાધ્વી રાજ્યશ્રીએ સમભાવભર્યા શબ્દોમાં કહ્યું : ‘સાધુને કોણ ભાભી ને કોણ ભાઈ ? રથનેમિ ! તું તો વિશ્વવાત્સલ્યનો આત્મા! તું તો સાધુ ! આ વાસનાનાં વળગણ તને શોભે ?' કેટલાંક રૂપ ચંપા જેવાં હોય છે. ભ્રમર એની પાસે ટૂંકી જ ન શકે. ટૂંકવાની હિંમત પણ કરી ન શકે ! કેટલાંક રૂપ તલવાર જેવાં હોય છે; માણસને ભય ઉપજાવે છે. અને કેટલાંક રૂપ માખણ જેવાં હોય છે ! માણસને ખાવાનું જ મન થાય છે. રાજ્યશ્રીનું રૂપ ચંપા જેવું ને તલવાર જેવું અસ્પૃશ્ય હતું ! રથનેમી પુરુષ હતો, એકાંત હતું, છતાં એ રાજ્યશ્રી તરફ અવિનયી થઈ શક્યો નહિ ! એની પોતાની સંસ્કારિતા એને આગળ વધવા ના કહેતી હતી. 386 3 પ્રેમાવતાર

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234