________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ પર્યાયમાં, પોતાનો પરમાત્મા-આત્મા એનો આશ્રય ઉપાદેય કરીને લીધો તે પર્યાયમાં, કોઈ પરની અપેક્ષા નથી.
(અહીંયાં કહે છેઃ ) “એવા નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ”—વ્યવહાર, પર્યાય, રાગ, નિમિત્ત-“ઉપાદેય નથી.”
આકરું લાગે! (પણ) પ્રભુ! સત્ય તો આ છે, ભાઈ ! માર્ગ તો આ છે પ્રભુ! આ (વાત) કોઈ મહંત થવાની કે મોટપ (દખાડવાની) નથી, બાપુ! દુનિયામાં દેખાવ કરવો કે અમે વિદ્વાન છીએ ને અમે ત્યાગી છીએ! ખરો ત્યાગ તો મિથ્યાત્વનો ત્યાગ તે ત્યાગ છે. પહેલાં તો આ (કારણપરમાત્મા) ઉપાદેય થાય તો મિથ્યાત્વનો ત્યાગ થાય છે! બીજી ભાષામાં કહીએ તો મિથ્યાત્વનો વ્યય થાય છે. સમકિતની ઉત્પત્તિ થાય છે. (અને) એ ઉત્પત્તિમાં ઉપાદેય આત્મા” છે.
સમજાય છે કાંઈ ? વાત તો જરી સૂક્ષ્મ છે. અહીંયાં સુધી આવ્યું. થોડું બાકી (છે) નીચે એનો જ કલશ છે, એ કહેશે.
પ્રવચન: તા. ૨-૨-૧૯૭૮ [ હવે ૩૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ ]
(માનિની) जयति समयसारः सर्वतत्त्वैकसार: सकलविलयदूरः प्रास्तदुर्वारमारः। दुरिततरुकुठारः शुद्धबोधावतारः
सुखजलनिधिपूर: क्लेशवायशिपारः।। ५४ ।। [ શ્લોકાર્થ:- ] સર્વ તત્ત્વોમાં જે એક સાર છે, જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂર છે, જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે, જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે, જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, જે સુખસાગરનું પૂર છે અને જે કલેશોદધિનો કિનારો છે. તે સમયસાર ( શદ્ધ આત્મા ) જયવંત વર્તે છે. ૫૪.
(“નિયમસાર) . ૩૮–ગાથાની ટીકા પૂરી થઈ. એનો આ કલશ. “હવે ૩૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે.”શું કહે છે? –
સર્વ તત્ત્વોમાં જે એક સાર છે.” ભગવાન (આત્મા) નિત્યાનંદ પ્રભુ, ધ્રુવસ્વરૂપ, ત્રિકાળી સ્વરૂપ પ્રત્યક્ષ છે, જે પર્યાયથી દૂર (છે). પુણ્ય-પાપ આદિથી (તો) દૂર છે જ. પણ એ જે સંવર, નિર્જરા, મોક્ષ આદિ પર્યાય; એનાથી પણ દૂર છે. (એવું) જે તત્ત્વ અંદર ધ્રુવ (છે), તે સમ્યગ્દર્શનનો વિષય છે. એ સર્વ તત્ત્વોમાં-સર્વ તત્ત્વ એટલે પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ-એ સર્વ તત્ત્વોમાં “સાર એક ત્રિકાળી વસ્તુ છે. જેને, ‘નિયમસાર” માં ૧૧-૧૨ ગાથાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com