________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર: ગાથા ૮૯ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા [ પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર]
मोत्तूण अट्टरुद्दं झाणं जो झादि धम्मसुक्कं वा। सो पडिकमणं उच्चइ जिणवरणिद्दिढसुत्तेसु ।। ८९ ।। मुक्त्वार्तरौद्रं ध्यानं यो ध्यायति धर्मशुक्लं वा । स प्रतिक्रमणमुच्यते जिनवरनिर्दिष्टसूत्रेषु।। ८९ ।। ध्यानविकल्पस्वरूपाख्यानमेतत्।
स्वदेशत्यागात् द्रव्यनाशात् मित्रजनविदेशगमनात् कमनीयकामिनीवियोगात् अनिष्टसंयोगाद्वा समुपजातमार्तध्यानम्, चौरजारशात्रवजनवधबंधननिबद्धमहद्द्द्वेषजनितरौद्रध्यानं च, एतद्वितयम् अपरिमितस्वर्गापवर्गसुखप्रतिपक्षं संसारदुःखमूलत्वान्निरवशेषेण ત્યવત્તા,
स्वर्गापवर्गनिःसीमसुखमूलस्वात्माश्रितनिश्चयपरमधर्मेध्यानम्,
ध्यानध्येयविविधविकल्पविरहितान्तर्मुखाकारसकलकरणग्रामातीतनिर्भेदपरमकलासनार्था नश्चयशुक्लंध्यानं च ध्यात्वा यः परमभावभावनापरिणतः भव्यवरपुंडरीकः निश्चयप्रतिक्रमणस्वरूपो भवति, परमजिनेन्द्रवदनारविन्द - विनिर्गतद्रव्यश्रुतेषु विदितमिति । ध्यानेषु च चतुर्षु हेयमाद्यं ध्यानद्वितयं, त्रितयं तावदुपादेयं, सर्वदोपादेयं च चतुर्थमिति।
ગુજરાતી અનુવાદ :
તજી આર્ત તેમ જ રૌદ્રને, ધ્યાવે ધરમને, શુકલને,
તે પ્રતિક્રમણ કહેવાય છે જિનવ૨કથિત સૂત્રો વિષે. ૮૯.
અન્વયાર્થ:[ ય: ] જે ( જીવ ) [ આર્ત્તરૌદ્રધ્યાન] આર્ત અને રૌદ્ર ધ્યાન [મુત્ત્વા] છોડીને [ધર્મશુવાં વા] ધર્મ અથવા શુકલ ધ્યાનને [ધ્યાયતિ] ધ્યાવે છે, [સ: ] તે (જીવ) [બિનવનિર્વિષ્ટસૂત્રેવુ ] જિનવરકથિત સૂત્રોમાં [પ્રતિમળસ્] પ્રતિક્રમણ [ ઉચ્યતે] કહેવાય છે.
ટીકા:-આ, ધ્યાનના ભેદોના સ્વરૂપનું કથન છે.
(૧) સ્વદેશના ત્યાગથી, દ્રવ્યના નાશથી, મિત્રજનના વિદેશગમનથી, કમનીય (ઇષ્ટ, સુંદર ) કામિનીના વિયોગથી અથવા અનિષ્ટના સંયોગથી ઊપજતું આર્તધ્યાન, તથા (૨) ચોર–જાર-શત્રુજનોનાં વધ-બંધન સંબંધી મહા દ્વેષથી ઊપજતું જે રૌદ્રધ્યાન, તે બને ધ્યાનો સ્વર્ગ અને મોક્ષના અપરિમિત સુખથી પ્રતિપક્ષ સંસારદુઃખનાં મૂળ હોવાને લીધે તે બન્નેને નિરવશેષપણે ( સર્વથા ) છોડીને, (૩) સ્વર્ગ અને મોક્ષના નિઃસીમ ( –બેદ ) સુખનું મૂળ એવું જે સ્વાત્માશ્રિત નિશ્ચય-૫૨મધર્મધ્યાન, તથા (૪) ધ્યાન ને ધ્યેયના વિવિધ વિકલ્પો રહિત, “અંતર્મુખાકાર, (૧) (-અંતર્મુખ જેનો આકાર અર્થાત્ સ્વરૂપ છે એવું) સકળ ઇન્દ્રિયોના સમૂહથી અતીત (–સમસ્ત ઇન્દ્રિયાતીત ) અને નિર્ભેદ ૫૨મ કળા સહિત એવું જે નિશ્ચય-શુકલધ્યાન, તેમને ધ્યાઈને, જે ભવ્યવપુંડરીક ( -ભવ્યોત્તમ ) ૫૨મભાવની (પારિણામિકભાવની ) ભાવનારૂપે પરિણમ્યો છે, તે નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે–એમ પરમ જિનેન્દ્રિના મુખારવિંદથી નીકળેલાં દ્રવ્યશ્રુતમાં કહ્યું છે.
ચાર ધ્યાનોમાં પહેલાં બે ધ્યાન તૈય છે, ત્રીજું પ્રથમ તો ઉપાદેય છે અને ચોથું સર્વા ઉપાદેય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com