________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર બ્લોક ૫૪ - ૩૯ શું ચીજ છે? એ કેમ ઉત્પન્ન થાય છે? અને ઉત્પત્તિ થાય છે તો કેવી દશા અંદર થાય છે? તેની તો ખબરે ય નથી અને બહારથી (શુભક્રિયાઓ ) કરે. અનાદિથી કરે છે. અને નવમી ત્રૈવેયક જાય એવા શુભભાવ તો અત્યારે હોતા પણ નથી. ત્યાં તો પંચમહાવ્રત, ૨૮ મૂળ ગુણ એવાં પાળ્યાં કે ચામડાં ઉતરડીને ખાર છાંટે તો પણ ક્રોધ ન કરે, એવો શુભ ભાવ હતો. શુક્લ લેશ્યા હતી. એવી શુક્લ લેશ્યા તો અત્યારે થતી નથી. આહા... હા! એ કોઈ શુક્લ લેશ્યા અને શુભભાવની કાંઈ કિંમત નથી. આહા... હા! અકીમતી ચીજની કિંમત ( અનાદિથી કરી છે. )!
( ‘સમયસાર ’ગાથા-૩૧માં છે ને...!) “બાળસહાવાધિય મુળવિ આવું ” ભગવાન આત્મા, રાગ અને વર્તમાન પર્યાયથી પણ ભિન્ન, સુખસાગરનું પૂર છે, જ્ઞાનનો ગંજ (છે); એને અહીં શુદ્ધભાવ, નિશ્ચય આત્મા, ખરેખર આત્મા કહેવામાં આવ્યો છે. આહા... હા! “ જે સુખસાગરનું પૂર છે ”.
( હવે, કહે છે કેઃ) “ અને જે કલેશોદધિનો કિનારો છે. ” [ ક્લેશ (અર્થાત્ ) દુ:ખ, ઉદધિ (અર્થાત્ ) સાગર ] દુઃખરૂપી સાગરનો તો ત્યાં કિનારો છે. ક્લેશની (ત્યાં) ગંધ નથી. રાગની, કલેશની ત્યાં ગંધે ય નથી. ભવ અને ભવના ભાવની એમાં ગંધ (પણ) નથી. સમજાય છે કાંઈ ?
( ‘ સમયસાર ’ ) નિર્જરા અધિકાર કલશ-૧૪૨માં અમૃતચંદ્રાચાર્યે કહ્યું છેઃ શુભ ભાવ કરો તો કરો એ કલેશ છે, રાગ છે, દુઃખ છે. [“ વિનયંતાં 7 પરે મહાવ્રતતપોમારેળ માશ્ચિમ્”]
( અહીં કહે છે: ) કલેશોદધિ-કલેશરૂપી સાગર; એનો કિનારો છે, અંત છે. જેમાં એ છે જ નહીં. અથવા જેના આશ્રયથી ક્લેશરૂપી સાગરનો અંત આવી જાય છે. આમાં આ બે અર્થ લેવા. સંસ્કૃતમાં “ વનેશવારાશિવાર: ” શબ્દ છે. સમુચ્ચય અર્થ લીધો “જે કલેશોદધિનો કિનારો છે, અંત છે.
""
.
આહા... હા! “ તે સમયસાર (શુદ્ધાત્મા) જયવંત વર્તે છે- ‘જયવંત વર્તે’ એમ નથી કહ્યું. પહેલો શબ્દ છે: “ નયતિ સમયસાર: ” એ સમયસાર જયવંત વર્તે ‘છે’. (જે) ધ્રુવસ્વરૂપ (છે તે દુર્વાર) કામની વાસનાને નાશ કરવાવાળો, પાપરૂપ વૃક્ષને છેદવાવાળો, કલેશોદધિનો કિનારો (છે) અર્થાત્ એમાં એ છે જ નહીં, એવો શુદ્ધાત્મા જયવંત વર્તે છે. જયવંત વર્તે છે. ત્રિકાળ જયવંત વર્તે છે! પણ કોને? કે જેને એનો અનુભવ પર્યાયમાં થયો તેને ‘ આ ’ ત્રિકાળ જયવંત વર્તે છે. શું કહ્યું? -સુખસાગર, જ્ઞાનાવતાર જયવંત વર્તે છે. પણ કોને ? જ્ઞાનમાં અનુભવ આવ્યો નહીં, એવું ભાન થયું (નહીં ) એને (તો ) આ ચીજ (એવી ) છે એવું ( એને ) ક્યાંથી આવ્યું? વર્તમાન જ્ઞાનપર્યાયમાં એ જ્ઞેયનું જ્ઞાન ન હોય તો ‘એ જયવંત વર્તે છે’ એવો નિર્ણય કોણે કર્યો? સમજાણું કાંઈ ? એવી વાત છે!
*
‘જયવંત વર્તે છે' એમ કહ્યું ને...! “ નયતિ સમયસાર: ” પહેલો શબ્દ છે. “નયતિ સમયસાર: " વિશુદ્ધભાવ સમયસાર ત્રિકાળી... હોં! એમાં. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મરહિત ત્રિકાળી ચીજ સમયસાર જયવંત વર્તે છે! આહા... હા!
‘બહેનશ્રીનાં વચનામૃત’ ' (બોલ-૩૦૬) માં એવો શબ્દ પડયો છે. “ જાગતો જીવ ઊભો છે ને તે ક્યાં જાય ?” એનો અર્થ આ છેઃ ‘જાગતો જીવ' (અર્થાત્ ) જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, ત્રિકાળી, વીતરાગસ્વભાવભાવ એવો જીવ ‘ઊભો છે’ એટલે ધ્રુવ છે. આહા... હા! આ જયવંત વર્તે છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com