________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
''
શ્રી નિયમસાર બ્લોક ૫૪ – ૪૧ આનંદઘનજી તો એમ કહે છે, શ્વેતાંબર છે તો પણ. પાછળથી દિગંબર શાસ્ત્રોનું થોડું વાંચન હશે એમ લાગે છે. સંભવનાથજીની સ્તુતિમાં એમ કહે છે-“દ્વેષ અરોચક ભાવ. રાગના પ્રેમીને (અર્થાત્ ) વ્યવહાર રત્નત્રયના પ્રેમીને સ્વરૂપ પ્રત્યે દ્વેષ છે. આનંદઘનજીની ૨૪ સ્તુતિ છે. ઘણા સમય પહેલાં (સંવત્ ) ૭૮માં બધું જોયું છે. એમાં છે. “સંભવદેવ તે ધૂર સેવો સેવે રે, લહી પ્રભુ-સેવન ભેદ; સેવન-કારણ પહિલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. ૧. ભય ચંચળતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે, દોષ અબોધ લિખાવ. સંભવ૦ ૨. ” જેને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગનો પ્રેમ છે એને ભગવાન-આનંદ પ્રત્યે દ્વેષ છે. “દ્વેષ અરોચક ભાવ.” એને (ભગવાન આત્મા ) રુચતો નથી, એ દ્વેષ છે. અને ( એને ) રાગ રુચે છે. ત્યાંથી પ્રેમ છોડીને અહીં (આત્મામાં) પ્રેમ થયો, ભાન થયું તો કહે છે “જયવંત વર્તે છે.
,,
*
પૂરું થયું હવે.
*
*
66
જીવ જિનવર છે ને જિનવર જીવ છે એવી દષ્ટિ થાય તેને પર્યાયબુદ્ધિ છૂટી જાય છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે. વ્યવહારમાં કેટલાક પ્રકારની લાયકાત હોય, સંસારભાવો જરાય રુચે નહિ, આત્મા... આત્મા... ની ધૂન લાગે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. ”
-શ્રી ‘ ૫૨માગમસાર ' /૨૮.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com