________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ એનો પોતાનો સ્વકાળ હતો તો થયા છે. ત્યારે છરીને નિમિત્ત કહેવામાં આવે છે.
અહીંયાં કહે છે: “ત્રણ શલ્યો પરિત્યાગીને –સમસ્ત પ્રકારે છોડીને, અને સમસ્ત પ્રકારે પૂર્ણાનંદના નાથનું અવલંબન લઈને, સર્વ બાજુથી ભગવાનના આશ્રમમાં આવીને.
• પ્રવચનસાર' મા “ આસન’ કહ્યું ને...! મૂળ આસન એ છે. એ આસનમાં આત્મા મળે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન એ અંદર આસન છે. ત્યાં તને આનંદનું ધામ-ભગવાન મળે છે. જેમ એ
મકાનમાં જઈશ તો તને રાજા ત્યાં હશે તે મળશે એમ એ (આત્મા) ના આસન સમ્યગ્દર્શન-શાન; ત્યા જા તો તેને ભગવાનઆત્મા મળશે. આહી.. હીં !
એ ત્રણ શલ્યો પરિત્યાગીને “જે પરમ યોગી” જુઓ ! આ યોગી-ચોથે ગુણસ્થાને મુમુક્ષુને પણ યોગી–કહ્યા છે. પોતે જેટલી નિર્મળપર્યાયને દ્રવ્ય સાથે જોડે છે તે તેટલું યોગનું સાધન-યોગી છે. અને જે રાગના સાથને જોડે છે તે ભોગી જીવ, ભોગનો-વિકારનો ભોક્તાભોગી પ્રાણી છે. એ જગીથી ભોગી જુદી જાત છે.
અહીંયાં કહે છે: “જે પરમ યોગી”—એકલો યોગી શબ્દ વાપર્યો નથી. કેમકે ચોથે ગુણસ્થાને પણ યોગી તો કહ્યા છે. આપણે કહ્યું હતું ને...! મોક્ષાર્થી સિદ્ધાંત તો એમ સેવો. સંસ્કૃતમાં છે. મુમુક્ષુ એટલે યોગી, એવો શબ્દ છે. અહીં તો સમકિતદષ્ટિ શરૂ થઈ ત્યારથી તેને યોગનું જોડાણ સ્વભાવ તરફ થયું એટલે તેને યોગી કહેવામાં આવ્યો. અને મુનિ તો પરમ યોગી છે. શબ્દ પડ્યો છે ને...? આહી.. હા !
જેણે માયા, નિદાન અને મિથ્યાત્વશલ્ય છોડ્યાં છે. (શ્રોતા ) વ્યવહારનયે વર્તે છે! (ઉત્તર) વર્તે છે ને...! –અજ્ઞાનીને પર્યાયમાં મિથ્યાત્વ વર્તે છે. (અજ્ઞાનીને) પર્યાયમાં મિથ્યાત્વ છે કે નહીં? વસ્તુમાં નથી. પર્યાયમાં મિથ્યાત્વ છે, નિદાન છે (અને માયા શલ્ય ) છે;
એને પર્યાયમાં છોડીને, નિર્મળપર્યાય પ્રગટ કરે. –એ તો વાત આવી ગઈ ને..! મિથ્યાત્વ, નિદાન અને માયા, એ પર્યાયમાં વર્તે છે, એની દશામાં વર્તે છે; કર્મમાં વર્તે છે એમ નહીં. (શ્રોતાઃ) આ મિથ્યાષ્ટિની વાત છે? (ઉત્તર) હ. મિથ્યાદષ્ટિની વાત છે. અને મિથ્યાષ્ટિ ગઈ ત્યારે પછી મિથ્યાત્વ વર્તતું નથી; પણ અંદર અચારિત્ર રાગાદિનું હોય છે. પણ અહીં તો ઉત્કૃષ્ટ વાત એટલે કે મુનિની (વાત) લેવી છે ને...! મુનિને તો ત્રણે શલ્યરહિત એકલી આનંદની દશા (વર્તે છે). આહા... હા! ગમે તેટલા પરીષહ અને ઉપસર્ગ આવે તો પણ તેમાં એ (મુનિ) ગભરાય નહીં, એ (તો) ઉત્કૃષ્ટ આનંદમાં જોડાઈ જાય (છે), આનંદના સ્વાદ લેવા એ અંદરમાં ઘૂસી જાય છે-જ્યાં અતીન્દ્રિય આનંદનો અંદર ઢગલો પડયો છે!
જિજ્ઞાસા: આવી વાત કંઈ હોય તો (આત્મા) ગયો ક્યાં? એમ કે મહારાજ ! બહુ વખાણ કરો છો: આત્મા આવો છે ને આવો છે! તો એ ધોયેલ મૂળા જેવો ચોખ્ખો-નિર્મળ આત્મા તે ગયો ક્યાં? એમ એક ભાઈ કહેતા.
સમાધાન: ગયો ક્યાંય નથી ! પણ તને ભાન નથી એટલે તને દેખાતો નથી. આહા.... હા! અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ, ધોયેલ મૂળા જેવો ચોખ્ખો પડ્યો છે!
અહીંયાં તો કહ્યું ને...! કેઃ એ તો નિઃશલ્યસ્વરૂપ પરમાત્મા છે. એના સ્વરૂપમાં તો શૂલ્યની ગંધ નથી. આહા... હા! ધ્રુવ... ધ્રુવ! ધ્રુવના ધ્યેયને ધ્યાનમાં લઈને જેણે આત્માના અનુભવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com