________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ - ૭૩ શુદ્ધઉપયોગ કહ્યો અને એમાં આત્મા રહે છે; અર્થાત્ એનાથી (દ્રવ્ય) જાણવામાં આવ્યું; એ કારણે “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ' ને આધાર કહી અને “દ્રવ્ય (આત્મા)' ને આધેય કહ્યું, આવી વાતો છે !! ભાઈ. હજ આ તો થોડી થોડી આવે છે. જે આવે તે આવે. આ વિષય (જ) એવો (ગન) છે!! બીજે ઠેકાણે પણ આવે છે. પણ અત્યારે તેનું કામ નથી. (અહીં ‘નિયમસાર” માં જુદો વિષય છે).
પ્રવચનસાર” માં તો એમ આવે છે કેઃ પર્યાય “કારણ” છે અને દ્રવ્ય “કાર્ય' છે. ત્યાં આ સિદ્ધ કરવું છેઃ પર્યાયથી દ્રવ્ય લક્ષમાં આવે છે. તેથી “પર્યાય' કારણ અને દ્રવ્ય' કાર્ય અને
ને ત્યાં એમ પણ લીધું છે કે: દ્રવ્ય “કારણ' અને પર્યાય “ કાર્ય'. કારણ કે, દ્રવ્યના આશ્રયથી પર્યાય ઉત્પન્ન થાય છે; તેથી “દ્રવ્ય' કારણ અને “પર્યાય” કાર્ય. એમ લીધું અને પર્યાય' કારણ અને “દ્રવ્ય” કાર્ય-એ વસ્તુની (અર્થાત્ ) અસ્તિકાયની સિદ્ધિ કરવા માટે એમ
પછી તે
કહ્યું.
(“સમયસાર”) સંવર અધિકારમાં જે આધાર-આધેય કહ્યું- “ઉપયોો ઉપયો:” – ઉપયોગમાં ઉપયોગ છે. આહા. હા! આ શબ્દ કુંદકુંદાચાર્યનો છે. શુદ્ધવીતરાગી શુદ્ધઉપયોગમાં આમા” છે. અર્થાત શદ્ધઉપયોગથી “આત્મા જાણવામાં આવે છે. તે કારણે, શુદ્ધઉપયોગને આધાર કહીને દ્રવ્ય શુદ્ધ જે ત્રિકાળી છે તેને આધેય કહ્યું. સમજાય છે કાંઈ ? ત્યાં તો, (આત્મા) વ્યવહારરત્નત્રયથી જાણવામાં આવતો નથી; (ચાહે તો) વ્યવહાર, દયા, દાન, વ્રત, ભક્તિ, લાખ-કરોડ-અબજ કરે, કોડ ભવ સુધી કરે, તો પણ તે તો રાગ છે, એનાથી આત્માનું લક્ષ થાય એમ નથી; એ બતાવવું છે અને (સાથોસાથ ) ભેદવિજ્ઞાન-સંવરની (વિધિનું પણ પ્રકાશન કર્યું છે). (ત્યાં “કળશ” –૧૩૧ માં ભેદવિજ્ઞાનનું મહત્વ દર્શાવતાં કહ્યું છે કેઃ)
મેવવિજ્ઞાનત: સિદ્ધા: સિલ્ફી કે વિરુન વના
અર્ચવામાવતો વલ્ફ વર્લ્ડ ચે વિઝન વોવના” [ શ્લોકાર્થ: જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે કોઈ બંધાયા છે તે તેના જ અભાવથી બંધાયા છે. ]” - અત્યાર સુધી જે કોઈએ મુક્તિ પ્રાપ્ત કરી છે, તે ભેદવિજ્ઞાનથી. ‘મેવવિજ્ઞાનત: સિદ્ધા: સિક્કા યે છિન વોવન' નિશ્ચયથી જે સિદ્ધ થયા છે તે સઘળાય, રાગથી ભિન્ન પડીને, પોતાનો અનુભવ કરીને સિદ્ધ થયા છે. ‘મર્ચવામાવતો ઉદ્ધા' ભેદવિજ્ઞાનના અભાવથી બંધનમાં છે; કર્મના કારણે નહીં. આહા. હા! સમજાણું કાંઈ? માટે ત્યાં પહેલી જ ગાથામાં, એની ટીકામાં, એમ કહ્યું કે:
આત્માને, રાગ સાથે આધાર-આધેય સંબંધ નથી. ત્યારે કોની સાથે સંબંધ છે? કે: શુદ્ધઉપયોગ જે આત્માની સન્મુખ થઈને થયો, (એની સાથે સંબંધ છે). શુભાશુભ રાગ તે અશુદ્ધ છે; તેનાથી આત્મા, ખ્યાલમાં આવતો નથી; એટલે સંવર થતો નથી. પણ જે રાગરહિત શુદ્ધોપયોગ છે તેનાથી (આત્મા) ખ્યાલમાં આવે છે; માટે શુદ્ધઉપયોગને “આધાર' કહ્યો અને દ્રવ્યને “આધેય' કહ્યું.
આહા.. હા ! ઝીણી વાત છે, ભાઈ ! સંપ્રદાયમાં એમ ને એમ ચાલે છે. એ રીતે તો આ (વિષય) કઠણ પડે એવો છે, બાપુ ! અહીં જે છે એ બીજી ચીજ છે. અહીં તો અંત:તત્ત્વ આત્મા (એ સ્વદ્રવ્ય ); અને અંતર જે ભાવ-પર્યાયમાત્રને, અર્થાત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com