________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ ફેર (થાય છે). આમાં આમ લખ્યું છે ને આમાં આમ લખ્યું છે. લખ્યું છે, પણ તે કઈ અપેક્ષા એ ? અહીં વ્યવહાર પહેલાં કહીને પછી નિશ્ચય કહ્યો, માટે અહીંયાં ખુલાસો કરી દીધો કે: ભાઈ ! વ્યવહાર અને નિશ્ચય કહ્યો, તેમાં શું છે? કે પરમજિનયોગીશ્વર તો તે છે જ. જેને આત્માનુભવ છે, છઠ્ઠી ગુણસ્થાનની ભૂમિકા પ્રમાણે આનંદ આવ્યો છે, નિશ્ચય (રત્નત્રય) છે; પણ પૂર્ણ નિશ્ચય (રત્નત્રય હજુ ) નથી; તેથી તે પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ, એટલે કે અવ્રતના પરિણામથી નિવૃત્તિરૂપ અને વ્રતના પરિણામથી પ્રવૃત્તિરૂપ, વ્યવહારનયના ચારિત્રમાં હોય છે. એ વાત છઠ્ઠી ગુણસ્થાનની કરી. આહા... હા ! છે તો પોતાના યોગમાં! પરમજિનયોગીશ્વર છે! ઘણા શબ્દો વાપર્યા છે. કેમ કે: સિદ્ધાંતમાં અપૂર્વકરણ (વાળા) ને પણ “જિન” કહ્યા છે. ત્રણ કરણ છે ને..! અધ:કરણ, અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણ. સમકિતપૂર્વની પર્યાય અપૂર્વકરણની (છે). ત્યાં (તેને) “જિન” કહ્યા છે. – “ગોમ્મટ્ટસાર' માં છે. અહીં તો “પરમજિન અને યોગીશ્વર' શબ્દ વાપર્યા છે. ચોથા ગુણસ્થાને પણ યોગી તો છે, મુમુક્ષુ કહ્યા હતા... ને મોક્ષાર્થી. (પરંતુ ) અહીં તો પરમજિન, પરમવીતરાગ, યોગીશ્વર કહ્યા, એ વાત છઠ્ઠી ભૂમિકાની છે.
(જે પરમજિનયોગીશ્વર) પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે. તેને ખરેખર વ્યવહારનયગમ્ય તપશ્ચરણ હોય છે; વ્યવહારચારિત્ર, વ્યવહારતપસ્યા એટલે મુનિપણું હોય છે. દીક્ષાકલ્યાણક કહે છે ને..! તપકલ્યાણક કહો કે દીક્ષાકલ્યાણક કહો, બધું વ્યવહારચારિત્ર છે. દીક્ષાને તપ કર્યું છે. હવે, કહે છે કેઃ
તેને ખરેખર વ્યવહારનયગોચર તપશ્ચરણ હોય છે.” વ્યવહારનય છે ખરો, વ્યવહારનયનો વિષય પણ છે; (વિષય) નથી એમ નથી. વ્યવહારનયગોચર-ગમ્ય તપશ્ચરણ હોય છે.
સહજનિશ્ચયનયાત્મક પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે” આ નિશ્ચયચારિત્ર, નિશ્ચયતા. તપ કહો કે દીક્ષા કહો, (એકાર્થ છે). સહજનિશ્ચયનયાત્મક અર્થાત્ સ્વાભાવિક નિશ્ચયન-નયસ્વરૂપ, પરમભાવસ્વરૂપ (તે નિશ્ચયનયનો વિષય છે ). લ્યો! “નય’ તો જ્ઞાન છે. પણ જ્ઞાનના વિષયને જ નિશ્ચયનયાત્મક કહીને પરમસ્વભાવસ્વરૂપ અર્થાત્ સહજનિશ્ચયસ્વરૂપ, પરમભાવસ્વરૂપ, નિશ્ચયનયસ્વરૂપ, પરમભાવસ્વરૂપ, એનો (નિશ્ચયનયનો) વિષય છે. એને એક-અભેદ કહ્યો છે. “સહુજ નિશ્ચયનયાત્મક પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે.” નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ નિશ્ચયચારિત્ર તપથી હોય છે. તે દશા નિશ્ચયચારિત્રથી થાય છે.
. વિશેષ કહેશે.
પ્રવચન: તા. ૧૨-૨-૧૯૭૮ નિયમસાર'. શુદ્ધભાવ અધિકાર ( ટીકા) ની છેલ્લી (૫૧ થી ૫૫) પાંચ ગાથા. છેલ્લી બે કડી બાકી છે. જુઓઃ “જે પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે.” કોને? કેઃ છઠ્ઠી ગુણસ્થાનમાં પરમજિનયોગીશ્વર છે, હજી સ્થિરતાની ઓછપ છે તે કારણે, તેને વ્યવહારનયનો વિષય જે દયા, દાન, વ્રતાદિના ભાવ આવે છે. (શું કહે છે? કે.) જે પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ એટલે અવ્રતના પરિણામથી નિવૃત્તિરૂપ; અને વ્રતના પરિણામ જે આસ્રવ છે (તે) પ્રવૃત્તિરૂપ હોય છે. તેને વ્યવહાર કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com