________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસાર: ગાથા ૮૫
શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા [પરમાર્થ-પ્રતિક્રમણ અધિકા૨]
मोत्तूण अणायारं आयारे जो दु कुणदि थिरभावं । सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा।। ८५ ।।
मुक्त्वानाचारमाचारे यस्तु करोति स्थिरभावम् ।
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात् ।। ८५ ।।
अत्र निश्चयचरणात्मकस्य परमोपेक्षासंयमधरस्य निश्चयप्रतिक्रमणस्वरूपं च भवतीत्युक्तम्।
नियतं परमोपेक्षासंयमिनः शुद्धात्माराधनाव्यतिरिक्तः सर्वोऽप्यनाचारः, अत एव सर्वमनाचारं मुक्त्वा ह्याचारे सहजचिद्विलासलक्षणनिरंजने निजपरमात्मतत्त्वभावनास्वरूपे यः सहजवैराग्यभावनापरिणतः स्थिरभावं करोति, स परमतपोधन एव प्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मात् परमसमरसीभावनापरिणतः सहजनिश्चयप्रति— क्रमणमयो भवतीति ।
ગુજરાતી અનુવાદ
જે છોડી અણ-આચારને આચારમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કા૨ણે. ૮૫.
અન્વયાર્થ: ય: તુ] જે (જીવ) [અનાવારં] અનાચાર [મુત્ત્તા] છોડીને [આવારે ] આચારમાં [સ્થિમાવસ્] સ્થિરભાવ [ રોતિ] કરે છે, [સ: ] તે ( જીવ ) [ પ્રતિમમ્ ] પ્રતિક્રમણ [ ૩વ્યતે] કહેવાય છે, [ યસ્માત્] કારણ કે તે [પ્રતિમળમય: ભવેત્] પ્રતિક્રમણમય છે.
ટીકા:-અહીં ( આ ગાથામાં) નિશ્ચયચરણાત્મક ૫૨મોપેક્ષાસંયમના ધરનારને નિશ્ચયપ્રતિક્રમણનું સ્વરૂપ હોય છે એમ કહ્યું છે.
નિયમથી ૫૨મોપેક્ષાસંયમવાળાને શુદ્ધ આત્માની આરાધના સિવાયનું બધુંય અનાચાર છે; તેથી જ સઘળો અનાચાર છોડીને સહચિવિલાસલક્ષણનિરંજન નિજ પરમાત્મતત્ત્વની ભાવનાસ્વરૂપ આચારમાં જે (પરમ તપોધન ) સહજવૈરાગ્યભાવનારૂપે પરિણમ્યો થકો સ્થિરભાવ કરે છે, તે પરમ તપોધન જ પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે, કારણ કે તે ૫૨મ સમ૨સીભાવનારૂપે પરિણમ્યો થકો સહજ નિશ્ચયપ્રતિક્રમણમય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com