________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ – ૧૧૧ બેઉને એકસરખા રાખ્યા! ત્યાં ભલે (છદ્મસ્થને) અલ્પ છે તોપણ તે વિજ્ઞાનઘનમાં નિમગ્ન છે. એવું લખ્યું છે! એ ગુરુએ અમારા ઉપર ઉપકાર-મહેરબાની-અનુગ્રહ કરીને અમને “આત્માનો ઉપદેશ આપ્યો. આહા.... હા ! પ્રભુ! એ છ દ્રવ્ય છે ને.. એ વાત ન કરી? એ બધાનો “સાર” તો આ કહ્યો. અમારા ગુરુ વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. “મગ્ન' જ નહિ બલ્ક ‘નિમગ્ન” હતા. કેમકે વિજ્ઞાનઘનમાં મગ્ન તો અંશે ચોથા ગુણસ્થાનમાં પણ થાય છે. આ તો મુનિ છે. વિજ્ઞાનઘન સ્વરૂપ પ્રભુ અર્થાત્ વિજ્ઞાનનું દળ ધ્રુવ, એમાં નિમગ્ન હતા; આનંદમાં વિશેષ લીન હતા. તેમના દ્વારા અમને આત્માનો ઉપદેશ મળ્યો છે. તેનાથી અમારો નિજવૈભવ પ્રગટ થયો છે. નિજવૈભવ” એટલે સ્વસંવેદન! આનંદની મહોર છાપ છે, તે નિજવૈભવ!
આ ધૂળ (પૈસા) ના વૈભવ તો ક્યાંય ગયા; પણ (પંચમહાવ્રતાદિનો) રાગ એ પણ (વૈભવ નથી). શરીર (વૈભવ) નહીં, રાગ (પણ) નહીં. અને આ પૈસા-બૈસા-ધૂળ-તો ક્યાંય (દૂરી રહી ગઈ. આહા... હા!
અહીંયાં કહે છેઃ અવિચળપણે સ્થિત થવારૂપ સહજચારિત્ર વડે “અભૂતપૂર્વ (પૂર્વે કદી નહીં થયેલી એવી, અપૂર્વ) સિદ્ધપર્યાય થાય છે.”
જુઓ ! “સિદ્ધ' પર્યાય છે ને...! એ કાંઈ ગુણ નથી. કેવળજ્ઞાન પણ પર્યાય છે. મોક્ષમાર્ગ પણ પર્યાય છે. સંસાર પણ વિકારીપર્યાય છે. આહા... હા! “ધ્રુવ” તો ધ્રુવ છે, જ્ઞાયક (છે). વિકાર, અવિકાર, અપૂર્ણતા અને પૂર્ણ અવિકૃતતા, એ બધું પર્યાયમાં છે. સમજાણું કાંઈ આવો માર્ગ લૂખો લાગે. વીતરાગમાર્ગ લૂખો છે, ભાઈ !
જિજ્ઞાસા: પહેલાં તો અરિહંતપર્યાય થાય, પછી સિદ્ધપર્યાય થાય છે!
સમાધાનઃ પણ અરિહંતપર્યાયને ભાવમોક્ષ કહ્યો છે. સિદ્ધને પછી દ્રવ્યમોક્ષ કહ્યો છે. સાંભળ્યું છે? કેવળજ્ઞાન એટલે ભાવમોક્ષ થઈ ગયો. પછી ચાર (અઘાતી કર્મ) બાકી રહ્યા એટલી યોગ્યતા પણ પોતાના કારણે છે, કર્મના કારણે નહીં. (નિમિત્તરૂપ) ઉદય છે ને એટલો પોતાની પર્યાયનો દોષ છે, તેથી કેવળીને પણ અસિદ્ધ કહ્યા છે. ચોથેથી ચૌદમા (ગુણસ્થાન) સુધી
અસિદ્ધપર્યાય કહી છે અને તેને ઉદયભાવમાં નાખી છે. તે અસિદ્ધપર્યાયનો નાશ થાય ત્યારે સિદ્ધપર્યાય ઉત્પન્ન થાય છે. તેને દ્રવ્યમોક્ષ કહ્યો. અને તેરમે (ગુણસ્થાને) ભાવમોક્ષ કહ્યો. (ત્યાં) ચાર (ઘાતકર્મ) છૂટી ગયાં છે અને ચાર (અઘાતી) કર્મ બાકી છે, અને થોડી અશુદ્ધતા પોતાના કારણે છે, તે પણ કેવળજ્ઞાનમાં જાણવામાં આવે છે. કેવળજ્ઞાનમાં બધું જાણવામાં આવે છે.
આહા.. હા! “અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે.” એ (નિશ્ચય) રત્નત્રયની વાત કહી. તે પહેલાં વ્યવહાર (રત્નત્રય) ની વાત કહી. હવે બંનેની સંધિ કરે છે:
જે પરમજિનયોગીશ્વર” છઠ્ઠા ગુણસ્થાન (વાળા છદ્મસ્થને) પણ પરમજિનયોગીશ્વર' કહ્યા ! “પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે.” છઠ્ઠા ગુણસ્થાનમાં વ્યવહારનયનું શુભભાવવાળું ચારિત્ર છે, વ્યવહારચારિત્ર છે. નિશ્ચય ( ચારિત્ર) અંદર સ્વરૂપમાં (સ્થિત થવારૂપ) છે. તેને (અહીં) ગૌણ કરીને વાત કહી. પણ એ તો એમાં કહી દીધું- “પરમજિનયોગીશ્વર'. એકલો મિથ્યાષ્ટિ છે અને એને પહેલાં વ્યવહાર (ચારિત્ર) આવ્યું, એમ નથી. સમજાણું કાંઈ?
શાસ્ત્રના અર્થ કરવામાં મોટો ફેર છે. (લોકોની) સમજણમાં ફેર અને પછી અર્થ કરવામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com