________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ – ૧૦૯ ઉત્તર–પરિણામ–નુવં તે વિય વળ્યું હવે ળિયા”T રરૂવા! અર્થ: પૂર્વપરિણામથી યુક્ત દ્રવ્ય તે નિયમથી કારણરૂપે હોય છે અને તે જ દ્રવ્ય જ્યારે ઉત્તરપરિણામથી યુક્ત થાય છે ત્યારે તે નિયમથી કાર્યરૂપે થાય છે. (પણ) આ વાત અપેક્ષિત છે. એ વાત અહીંયાં લીધી છે. મોક્ષમાર્ગની પર્યાય તે પૂર્વપર્યાય છે, એ કારણ છે. અને (મોક્ષરૂપ) ઉત્તરપર્યાય દ્રવ્યમાં કાર્ય છે.
બાકી તો, કેવળજ્ઞાનની પર્યાય પોતાનાથી પકારકથી પરિણમતી ઉત્પન્ન થાય છે, તેને મોક્ષમાર્ગની (પૂર્વ) પર્યાયની પણ અપેક્ષા નથી.
પ્રવચનસાર' ગાથા-૧૦૧માં કહ્યું ને....! ઊપજતી પર્યાયને વ્યયની અપેક્ષા નથી! અરે ભગવાન! એનો માર્ગ! પ્રભુ! તારો માર્ગ ગંભીર છે. કહ્યું ને...! ઊપજતી પર્યાયને વ્યાયની અપેક્ષા નથી અને અહીંયાં તો એમ કહ્યું કેઃ મોક્ષમાર્ગની પર્યાયથી મોક્ષ થાય છે! ત્યાં કહ્યું કે: ભગવાનની દિવ્યધ્વનિ, કેવળજ્ઞાનપર્યાય જે ઊપજે છે તે પોતાની અપેક્ષાથી જ ઊપજે છે, તેને ગુણની અપેક્ષા નથી, વ્યયની અપેક્ષા નથી. પરની અપેક્ષા તો છે જ નહીં, એ તો વાત જ નથી.
પણ અહીંયાં પૂર્વપર્યાય (એવી) હતી તે બતાવવું છે. પૂર્વપરિણામયુક્ત દ્રવ્ય કારણ છે અને ઉત્તરપરિણામયુક્ત દ્રવ્ય કાર્ય છે. (તેમ છતાં,) પૂર્વપર્યાયમાં તો મિથ્યાત્વ પણ હોય છે અને પછીની પર્યાયમાં સમ્યગ્દર્શન થાય છે. (પણ ત્યાં એમ કહેવું નથી કે.) મિથ્યાત્વભાવ છે તે સમ્યગ્દર્શનની ઉત્પત્તિનું કારણ છે. પરંતુ ત્યાં એમ કહેવું છે કેઃ મિથ્યાત્વનો વ્યય છે, તો તે પરિણામ (કારણ; અને જે) સમ્યગ્દર્શનની પર્યાય ઉપજી (તે “કાર્ય છે). અર્થાત્ મિથ્યાત્વનો વ્યય થાય છે ત્યારે સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થાય છે. નહીંતર તો મિથ્યાત્વ ઉપાદાન કારણ અને તેનું ઉપાદેય પછી સમકિત? (–એમ થતું નથી.) સમજાણું કાંઈ ? પણ (ત્યાં) તો મિથ્યાત્વના વ્યયને કારણ બતાવીને સમ્યગ્દર્શનની પર્યાયની ઉત્પત્તિ તે (કાર્ય) બતાવવું છે. પણ (એ વાત) અપેક્ષિત છે.
આ તો લોકોને (વસ્તુસ્થિતિની) ખબર નથી અને વિરોધ કરે ! એટલે જેને ખબર ન હોય અને વિરોધ કરે તેમાં શું થાય છે? આહા... હા! આ તત્ત્વ જ આવું છે!! અગમ્યને ગમ્ય કરવાનું છે. આહા... હા! મહા ભંડાર ભગવાન, અનંત ગુણનો ભંડાર, એક એક ગુણમાં અનંતગુણનું રૂપ, (એવો પોતે જ છે)!
૪૭-શક્તિ” છે ને...! છે તો અનંત. પણ (સમયસાર”) માં સુડતાલીસ કહેવામાં આવી છે. તેમાં એક “અનંતધર્મત્વ' નામની શક્તિ-ગુણ છે. એ “અનંતધર્મત્વ' નું રૂપ બીજા ગુણોમાં છે. એ ગુણ બીજા ગુણમાં નથી, (પણ એનું રૂપ બીજા ગુણમાં છે). તત્ત્વજ્ઞાનની આવી બહુ ઝીણી વાતો, બાપુ! લોકો તો બહારથી (ધર્મ) માનીને બેઠા છે ને...“અનંતધર્મવશક્તિ ' એ ૨૭મી છે. જુઓઃ “વિલક્ષણ (-પરસ્પર ભિન્ન લક્ષણોવાળા) અનંત સ્વભાવોથી ભાવિત (થયેલો) એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંતધર્મત્વશક્તિ.” આહા... હા! અહીં તો મારે એ લેવું છે કે જે કેવળજ્ઞાનની પર્યાય છે એમાં પણ અનંતધર્મશક્તિનું રૂપ છે. એના જ્ઞાનગુણમાં તો “એનું રૂપ છે, પણ એ ધ્રુવ છે. પણ આ તો પર્યાય જે કેવળજ્ઞાનની છે તેમાં પણ “અનંતધર્મશક્તિનું રૂપ છે. અર્થાત્ એ અનંતધર્મત્વશક્તિ જે છે તે (કેવળ) પર્યાયમાં નથી તેમજ અનંતધર્મત્વશક્તિની જે પર્યાય છે તે પણ (કેવળજ્ઞાન) પર્યાયમાં નથી, પણ તેનું રૂપ' તે પર્યાયમાં છે. આહા... હા ! સમજાણું કાંઈ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com