________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૨૧-૫૫ – ૧૦૩ પ્રવચન: તા. ૧૧-૨-૧૯૭૮ નિયમસાર” શુદ્ધભાવ અધિકારની છેલ્લી (૫૧ થી ૫૫) પાંચ ગાથા. પહેલાં વ્યવહારરત્નત્રયની વાત ચાલી ગઈ. હવે નિશ્ચયરત્નત્રયની વાત કરે છે. જેને નિશ્ચય હોય છે તેને જ વ્યવહાર હોય. જેને નિશ્ચય નથી તેને (વ્યવહાર) પણ નથી. કહ્યું ને...! જે વ્યવહારમાં મૂઢ છે, એટલે કે જેને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ભાન નથી, તે “રાગને જાણવાવાળો' ક્યાંથી થયો? સમજાણું કાંઈ ? “સમયસાર' ૧રમી ગાથામાં છે ને...! “વ્યવહારનયો... તાત્વે પ્રયોગનવાના. બસ! એ વાત સ્પષ્ટ છે. આત્મા અંતર વસ્તુ છે. વાત તો ઝીણી બહુ.
સવારે પ્રશ્ન થયો હતો ને કેઃ પર્યાયનો આધાર કોણ? પણ તે વખતે એ (ચાલતો) વિષય નહોતો. ખરેખર તો એવી ચીજ છે કે: દરેક પદાર્થની જે અવસ્થા છે તે જે સમયે થવાવાળી છે તે સમયે તે જ થશે, તે તેની કાળલબ્ધિ છે. એક વાત. બીજી વાત: જે સમયે જે દ્રવ્યની પર્યાય ઉત્પન્ન થાય છે, ઊપજે છે, તેને (વ્યયની, તેમજ) ધ્રુવની પણ અપેક્ષા નથી.
પ્રવચનસાર' ગાથા-૧૦૧ ની સંસ્કૃત ટીકામાં એવો પાઠ છે- [ ઉત્પાદ ઊપજતાભાવને આશ્રિત છે. એટલે કેઃ] ઊપજે છે તે (ઊપજતાભાવને) આશ્રયે ઊપજે છે. આ તો બહુ ઝીણી વાત છે, પ્રભુ! અંતરના માર્ગ એવા છે! એને માટે ઘણી પાત્રતા જોઈએ, બાપુ! વળી ગાથા૧૦રમાં એમ કહ્યું કે જે સમયે જે પર્યાય કાળલબ્ધિની કહી છે, જે સમયે ઉત્પન્ન થાય છે તે તેની નિજ (જન્મ) ક્ષણ છે. તે તેનો કાળ જ છે. વાત ઝીણી બહુ, ભાઈ ! (પહેલાં કહ્યું કે, જે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય છે તેને વ્યયની અપેક્ષા નથી, ધ્રુવની અપેક્ષા નથી; ઊપજે છે તે ઊપજતા (ભાવ) ના આશ્રયે ઊપજે છે. વ્યયના આશ્રયે વ્યય થાય છે અને ધ્રૌવ્યના આશ્રયે ધ્રૌવ્ય છે.
આહા... હા! (પ્રવચનસાર=પ્ર+વચન+સાર) એ “પ્રવચન” એટલે વીતરાગ સર્વજ્ઞા ભગવાન પ્રવચન; “પ્ર” એટલે વિશેષે કરી, “વચન' એટલે દિવ્યધ્વનિ અને એનો આ “સાર” છે. વાત બેસે ન બેસે, દુનિયા સ્વતંત્ર છે. એ “તંત્ર” નો અર્થ શું? કે: “વ્યવસ્થિત પર્યાય થાય’ માટે તંત્ર. અહીં “સ્વ-તંત્ર' અર્થાત્ પર્યાય “સ્વ” ના કારણે પોતાનાથી ઊપજે છે, એ તેનું “તંત્ર” છે. એનો ભાવ “સ” છે. મંત્ર, તંત્ર, જંત્ર, -એ ત્રણના અર્થ ક્યાંક આવે છે.
(પર્યાય) ઉત્પાદ થાય છે, તેમ વ્યય પણ થાય છે અને ઘવ્ય છે. –એ ત્રણમાં કોઈને કોઈની અપેક્ષા નથી! આહા... હા! અને “ચિવિલાસ' (પાનું ૮૯) માં એમ કહ્યું છે કે ગુણ વિના, પર્યાય પોતાનાથી ઉત્પન્ન થાય છે.
અહીંયાં તો આજે બીજું કહેવું છે. દરેક ગુણમાં પકારકનું રૂપ છે. જ્ઞાનગુણ છે તેમાં પણ બીજી પારકની શક્તિ સાથે છે. કર્તા-કર્મ-કરણ આદિ ૪૭-શક્તિ છે, એ ગુણ છે. એ જે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ પકારક છે, તેનું રૂપ, એ જ્ઞાનગુણમાં પણ છે. આહા. હા! ઝીણી વાત કારક છે, પ્રભુ ! શું થાય? હવે, એ છે કરણ ગુણનું કારણરૂપ ગુણમાં રહ્યું અને પર્યાયનું પરિણમન પકારકથી પોતાનામાં રહ્યું. એટલે કેઃ એ એક સમયની પર્યાયમાં પણ પકારકનું પરિણમન સ્વતંત્ર-પોતાનાથી છે. અર્થાત્ પરમાર્થે “પર્યાયનો આધાર' દ્રવ્ય નથી. કેમકે “પર્યાય” પોતે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અને અધિકરણ-આધારે પોતાનાથી થઈ છે. “એનો આધાર' દ્રવ્ય-ગુણ પણ નહીં. સમજાણું કાઈ ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com