________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ અતદભાવ છે, જેને લીધે તેમને અન્યત્વ છે). દ્રવ્ય અને ગુણના પ્રદેશભેદ નહીં હોવા છતાં, સંખ્યા, સંજ્ઞા, લક્ષણ અને પ્રયોજનાદિ ભેદ હોવાથી દ્રવ્ય અને ગુણ ભિન્ન છે. (બંને વચ્ચે) અતભાવ છે. આહા.... હા! સમજાણું કાંઈ ?
જિજ્ઞાસા:- ૪૭ નયમાં “આત્માને' રાગનો અધિષ્ઠાતા કહ્યો છે ને?
સમાધાનઃ ત્યાં એમ લીધું છે. બધું ખ્યાલમાં છે. આખું શાસ્ત્ર મગજમાં છે. ત્યાં તો એમ લીધું છે કે: અનંત નય છે. માટે અનંત નયના વિષય અનંત છે. ગુણ-પર્યાય-વિકારી, અવિકારી પર્યાય અને અધિકારી ગુણ-એ બધાના અનંત નય છે. એનો વિષય છે. એનો સ્વામી-અધિષ્ઠાતા આત્મા છે. જરી ઝીણી વાત છે. ફરીને કહીએ ત્યાં સાધકની વાત છે, સમ્યજ્ઞાનીની વાત છે; અજ્ઞાનીની નહીં. ત્યાં ૪૭ નય લીધા પહેલાં બે પ્રશ્ન છે. શિષ્ય પ્રશ્ન કર્યો કે, પ્રભુ! “આ આત્મા કોણ છે (- કેવો છે) અને કઈ રીતે પ્રાપ્ત કરાય છે?' એવા પ્રશ્ન છે. આચાર્યદવ એમ કહે છે કે એવી જેને અંતરમાં જિજ્ઞાસા થઈ હોય તો અમે એનો ઉત્તર આપીએ છીએ. સાધારણ પ્રાણી વેઠની પેઠે વાત સાંભળવા આવ્યો હોય તો એને અમારો ઉત્તર નથી. જુઓ, સંસ્કૃત ટીકા છે: “નનું વોયમાત્મા 5થે વાવાગત રૂતિ વેત” – એવો પ્રશ્ન જે શિષ્યના હૃદયમાં હોય તો, એને અમે ઉત્તર આપીએ. પ્રથમ તો, આત્મા ખરેખર ચૈતન્યસામાન્ય વડે વ્યાસ અનંત ધર્મોનું અધિષ્ઠાતા એક દ્રવ્ય છે. “તાવચેત સામાન્ય વ્યાનન્તધર્માધિકા 2.” એવો પાઠ છે.
કર્તા-કર્મ' ગાથાઃ ૭૩ માં “અધિષ્ઠાતા”- “સ્વામી” એવું લીધું છે કે વિકારનો સ્વામી કર્મ છે. એ ત્યાં ભેદ બતાવવા માટે કહ્યું અને અહીં તો જેટલી વિકારી અને અવિકારી પર્યાયો, તે બધી પર્યાયોનો સ્વામી આત્મા છે, એટલું બતાવવું છે. ત્યાં (કર્તા-કર્મમાં ) દષ્ટિપ્રધાન કથન છે અને અહીં જ્ઞાનપ્રધાન કથન છે. માટે નયમાં એમ પણ લીધું કે: આત્મા રાગનો કર્તા છે. જ્ઞાનીનો (આત્મા) હોં..! અજ્ઞાનીની વાત નથી. સમ્યગ્દષ્ટિને સ્વાનુભવ થયો છે છતાં જેટલું રાગનું પરિણમન છે એટલો તેને તેનો કર્તા કહીએ અને ભોકતા છે તો તેને ભોકતા પણ કહીએ. અને કર્તા પણ નથી અને ભોકતા પણ નથી, એમ પણ કહીએ છીએ. (કર્તનય, અકર્તનય, ભોકતૃનય, અભોકતૃનય) એમ ચાર નય છે. કુલ ૪૭ નય છે. ત્યાં એમ કહયું કે કર્તા આત્મા છે તો એ કર્તાનનો સ્વામી આત્મા છે! પરંતુ અહીં “સમયસાર” માં ના પાડે છે કે ( આત્મા ) કર્તાકર્તા નહીં ! કેટલી અપેક્ષાઓ આવે !! (અને ત્યાં ૪૭ નય પહેલાં, શિષ્યના પ્રશ્નના ઉત્તરમાં એમ કહ્યું કે:) અનંત નયો-ધર્મોનો અધિષ્ઠાતા એક દ્રવ્ય છે. કેમ? કે: અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો, તેમાં તેમાં વ્યાપનારું જે એક શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણ તે એને (આત્મદ્રવ્યને) જાણે છે. નય છે તે એક એક ગુણને અને એક એક પર્યાયને જાણે છે. અને તે અનંતનયોના શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણ ચીજ, એનો વિષય વિકારી અને અવિકારી પર્યાય, બેઉ સમકિતીના છે. પૂર્ણ થયો નથી અને સાધકની વાત છે તો બેઉનો સ્વામી આત્મા છે. એ વિકારનો અધિષ્ઠાતા-સ્વામી આત્મા છે! કારણ કે વિકાર કંઈ કર્મથી થયા નથી અને કર્મમાં છે નહીં. એ (વાત) આવશે. “કળશ ટીકા” માં આવશેઃ “વિકાર એ ચેતનાના પરિણામ છે!” આહા.. હા! એકકોર કહે કે વિકાર એ પુદગલના પરિણામ છે. એ તો નીકળી જાય છે એ અપેક્ષાએ. (અર્થાત્ ) સ્વભાવના દષ્ટિવંતને (તે વિકાર) નીકળી જાય છે, માટે તેને પુદ્ગલના પરિણામ કહ્યા. પણ જો એને એમ જ માની લે કે: ( વિકાર) પુદ્ગલના પરિણામ છે, મારા નથી; (તો મિથ્યા એકાંત થઈ જાય). તો ૪૭ નયમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com