________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ વસંમતિનHIઢત્વવિવર્ણિતશ્રદ્ધનમ્ વ ] ચળતા, મલિનતા અને અગાઢતા રહિત શ્રદ્ધાન તે જ [ સચવā] સમ્યકત્વ છે; [ રેયોપાયતત્તાના ] હુંય અને ઉપાદેય તત્ત્વોને [ ધિરામમાવ: ] જાણવારૂપ ભાવ તે [ જ્ઞાનમ્ ] (સમ્યક ) જ્ઞાન છે.
[સચવર્વસ્યનિમિત્ત ] સમ્યકત્વનું નિમિત્ત [ નિનટૂ] જિનસૂત્ર છે; [ તચ જ્ઞાયT: પુરુષા: ] જિનસૂત્રના જાણનારા પુરુષોને [બત્તëતવ: ] (સમ્યકત્વના) અંતરંગ હેતુઓ [fમળતા: ] કહ્યા છે, [વર્શનમોદસ્ય ક્ષયામૃતેઃ ] કારણ કે તેમને દર્શનમોહુના યાદિક છે.
[] સાંભળ, [ મોક્ષચ ] મોક્ષને માટે [ સચવત્ત ] સમ્યકત્વ હોય છે, [ સંજ્ઞાનં ] સમ્યજ્ઞાન [ વિદ્યતે ] હોય છે, [વરણમ્ ] ચારિત્ર (પણ ) [ મવતિ] હોય છે; | તમાત | તેથી [ વ્યવહારનિશ્ચયેન તુ] હું વ્યવહાર અને નિશ્ચયથી [ વરVi પ્રવક્ષ્યામિ] ચારિત્ર કહીશ.
| [ વ્યવહારનયરિà] વ્યવહારનયના ચારિત્રમાં [ વ્યવહારનયચ] વ્યવહારનયનું [ તપશ્ચર[મ ] તપશ્ચરણ [ મવતિ ] હોય છે; [ નિશ્ચયનયવારિ2] નિશ્ચયનયના ચારિત્રમાં [ નિશ્ચયત: ] નિશ્ચયથી [ તપશ્ચરણ ] તપશ્ચરણ [ મવતિ ] હોય છે.
આ, રત્નત્રયના સ્વરૂપનું કથન છે.
પ્રથમ, ભેદોપચાર-રત્નત્રય આ પ્રમાણે છે: વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ એવું જે સિદ્ધિના પરંપરાહેતુભૂત ભગવંત પંચપરમેષ્ઠી પ્રત્યેનું ચળતામલિનતા-અગાઢતા રહિત ઊપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું તે જ સમ્યકત્વ છે. વિષ્ણુબ્રહ્માદિકથિત વિપરીત પદાર્થસમૂહ પ્રત્યેના અભિનિવેશનો અભાવ તે જ સમ્યકત્વ
છે–એવો અર્થ છે. સંશય, વિમોહ ને વિભ્રમ રહિત (જ્ઞાન) તે જ સમ્યજ્ઞાન છે. ત્યાં, જિન દેવ હશે કે શિવ દેવ હશે (–એવો શંકારૂપભાવ) તે સંશય છે; શાયાદિકથિત વસ્તુમાં નિશ્ચય ( અર્થાત્ બુદ્ધાદિએ કહેલા પદાર્થનો નિર્ણય ) તે વિમોહ છે; અજ્ઞાનપણું (અર્થાત્ વસ્તુ શું છે તે સંબંધી અજાણપણું ) તે જ વિભ્રમ છે. પાપક્રિયાથી નિવૃત્તિરૂપ પરિણામ તે ચારિત્ર છે. આમ ભેદોપચાર-રત્નત્રયપરિણતિ છે. તેમાં, જિનપ્રણીત યઉપાદેય તત્ત્વોનું જ્ઞાન તે જ સમ્યજ્ઞાન છે. આ સમ્યકત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ-સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે (સમ્યકત્વપરિણામના) અંતરંગ હતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનમોહનીયકર્મના ક્ષયાદિક છે. a.
અભેદ-અનુપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને, ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડ, તદ્દજ્ઞાનમાત્ર (–તે નિજ પરમ તત્ત્વના જ્ઞાનમાત્રસ્વરૂપ ) એવા અંતર્મુખ પરમબોધ વડે અને તે રૂપે ( અર્થાત્ નિજ પરમ તત્ત્વરૂપે) અવિચળપણે સ્થિત થવારૂપ સહુજચારિત્ર વડ અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે. જે પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે, તેને ખરેખર વ્યવહારનયગોચર તપશ્ચરણ હોય છે. સહજનિશ્ચયનયાત્મક પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે; નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજનિશ્ચયચારિત્ર આ તપથી હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com