________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૭૫ વાત, ભાઈ ! માણસને (અંતરનો) પરિચય નથી; અભ્યાસ નથી; અને બાહ્યથી (ઉપર ઉપરથી) માનીને અનંતકાળથી રખડી મર્યો છે.
સંવર અધિકાર' માં પર્યાયને “આધાર' કહી; કેમ કે પર્યાયથી એ (દ્રવ્ય) જાણવામાં આવે છે. કાંઈ દ્રવ્ય વડ દ્રવ્ય જાણવામાં આવતું નથી. અને વીતરાગીપર્યાય જે સ્વસમ્મુખ થઈ, એનાથી (આત્મા) અનુભવમાં આવ્યો; માટે વીતરાગીપર્યાયને “ઉપયોગ' કહ્યો અને એમાં, ઉપયોગ- “આત્મા” છે; (એટલે કે ઉપયોગમાં ઉપયોગ છે); અને એના (ઉપયોગના) આધારે” આત્મા છે; એમ કહ્યું. કારણ કે એનાથી (ઉપયોગથી “આત્મા') જાણવામાં આવ્યો. જાણવામાં ન આવે ત્યાં સુધી ‘આ આત્મા છે, અને આ ગુણ-પર્યાય છે' એવું આવ્યું ક્યાંથી ? સમજાણું કાંઈ ?
સમયસાર' ગાથા: ૧૭-૧૮ માં તો એમ આવ્યું ને...! ભગવાન આત્મા આબાળગોપાલ સૌને સદાકાળ જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવે છે. આહા.... હા ! જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે તે કારણે જે જ્ઞાનની પર્યાય છે તેમાં ય જે સ્વદ્રવ્ય છે તે જ આબાળગોપાલ સૌને (અર્થાત્ ) બાળકથી માંડીને વૃદ્ધ બધાય જીવોને જાણવામાં આવે છે. “વસ્તુ” પર્યાયમાં આવતી નથી; પણ (પર્યાયમાં ) જાણવામાં આવે છે; છતાં, એમ કેમ છે? સૌને પર્યાયમાં દ્રવ્ય આવું છે; એમ પર્યાયમાં જાણવામાં આવે છે. બધાયને જાણવામાં આવે છે; છતાં, એમ કેમ છે? સૌને પર્યાયમાં ‘દ્રવ્ય” જાણવામાં તો આવે છે છતાં અજ્ઞાનીની દષ્ટિ બંધને વશ છે, રાગને વશ છે, તે કારણે “પર્યાય” દ્રવ્યને જાણે છે” એ દષ્ટિ, તેને (અજ્ઞાનીને) નથી. આહા... હા! આવી બધી વાતો છે!! સમજાય છે કાંઈ ?
અહીંયાં તો જે આધાર-આધેય કહ્યું, એ સૂક્ષ્મ વાત છે.
(ગાથા: ૧૭-૧૮માં, કહ્યું? કેઃ અજ્ઞાનીને પણ જ્ઞાનની પર્યાયમાં, પર્યાયનું સામર્થ્ય એટલું છે (અર્થાત્ ) સ્વ-પર પ્રકાશક છે. તેથી (તેને પણ) સ્વય-દ્રવ્ય “પર્યાય' માં જાણવામાં તો આવે જ છે. અજ્ઞાનીને પણ હોં..! પણ અજ્ઞાનીની પર્યાયમાં સ્વદ્રવ્ય જાણવામાં આવતું હોવા છતાં પણ તેની દષ્ટિ રાગ-દયા, દાન અને વિકલ્પ-ઉપર પડી છે, એ બંધ નહીં (પણ) ભાવબંધ છે, તે ભાવબંધના વિશે પડયો છે; જોકે તેને અબંધસ્વભાવ જાણવામાં તો આવે છે પણ તેની દષ્ટિ બંધ ઉપર છે; તેથી તે મિથ્યાદષ્ટિ છે; માટે તેને (સ્વય) જાણવામાં આવ્યું નહીં. સમજાણું કાંઈ?
આહા... હા! બહુ ઝીણું છે, બાપુ! આવું... છે! પણ એને સમજવું પડશે કે નહીં? સત્યને સત્ય રીતે (સમજવું જોઈએ કે) આ વાત કઈ રીતે છે? બાપુ! અત્યારે તો (ઘણાંને સાંભળવી પણ) મુશ્કેલ પડે એવી (વાત) છે. સંપ્રદાયમાં તો આ વાત ચાલતી ય નથી. એ તો સમ્યગ્દર્શન વિના, આ વ્રત કરો ને ત્યાગ કરો ને પડિમા લઈ લ્યો ને... એ વાતો ચાલે છે. એ માર્ગ વીતરાગનો નહીં!
૧૭-૧૮ ગાથામાં (એ કહ્યું કેઅજ્ઞાનીની જે પર્યાય છે. એમાં પર્યાયનો પ્રકાશ સ્વ-પર પ્રકાશક હોવાથી દ્રવ્ય જ (-દ્રવ્ય પણ) જ્ઞાનમાં આવે છે પણ તે તરફ એની “દષ્ટિ' નથી; તેથી (દ્રવ્ય) ખ્યાલમાં આવતું નથી. અર્થાત્ અજ્ઞાનીની દષ્ટિ (સ્વદ્રવ્ય ઉપર નથી), તેની દષ્ટિ રાગ ઉપર છે, પર્યાય ઉપર છે. અને સંવર અધિકારમાં એ કહ્યું કે: નિર્મળપર્યાય (શુદ્ધઉપયોગ) ‘આધાર’ છે અને આત્મા “આધેય' છે અને આ (ચાલતા) અધિકારમાં “ગુણ” ને આધેય કહ્યા અને ‘દ્રવ્ય” ને આધાર કહ્યું. અને (“પ્રવચનસાર” ગાથા-૧૦૭ માં ) ગુણ અને દ્રવ્ય વચ્ચે અતભાવ કહ્યો. દ્રવ્યનો ભાવ, ગુણના ભાવમાં નથી અને ગુણનો ભાવ, દ્રવ્ય (ભાવ) માં નથી; માટે (તેમને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com