________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ - પ્રવચન નવનીતઃ ભાગ-૨ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો-એમાં પૂરણ-ગલન અર્થાત્ રાગનો ઉત્પાદ-વ્યય થાય છે. પર્યાયમાં ઉત્પાદ-વ્યય પણ થાય છે કે નહીં? તો એ ઉત્પાદ-વ્યયને પણ (અહીં) પૂરણગલન કહીને તેને પુદ્ગલનો ભાવ કહી દીધો છે. સમજાય છે કાંઈ? આ (વિષય) તો ઝીણો છે, ભાઈ ! “એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી.” એ (ભાવો) ખરેખર ભગવાન આત્મામાં છે જ નહીં. દ્રવ્યમાં તો પર્યાય છે જ નહીં. કેવળજ્ઞાનની પર્યાય પણ દ્રવ્યમાં નથી. પર્યાય-ક્ષાયિકભાવ તો એક અંશ છે. દ્રવ્ય તો પરમપરિણામિકસ્વભાવભાવ છે. પરમસ્વભાવભાવમાં ક્ષાયિકભાવ નથી.
આગળ “શુદ્ધભાવ અધિકાર' ગાથા-૪૧ માં એ આવ્યું ને...! “જો ફયમાવતી ” – મારામાં એટલે જીવાસ્તિકાય-ધ્રુવ-ત્રિકાળી-શુદ્ધભાવમાં ક્ષાયિકભાવનાં સ્થાનો નથી; “નો
યવસમરસહીવાળા – ક્ષયોપશમસ્વભાવનાં સ્થાનો નથી; “બોયમાવવા ” – એ તો વિકૃત છે એ તો ઠીક; પણ “નો ૩વસમો સદાવડા – ઉપશમસ્વભાવનાં સ્થાનો (પણ) નથી. આહા... હા ! પછી (ગાથા-૪ર) માં તો કહ્યું કે: (ગતિના ભાવો, કુળ) યોનિ, ચૌદ જીવસ્થાનો અને ચૌદ માર્ગણાસ્થાનો અને ચૌદ ગુણસ્થાનો-એ બધાં મારામાં નથી. “હું તો એકલો ધ્રુવ, સનાતન સત્ પ્રભુ છું અને આ બધા તો પુદ્ગલદ્રવ્યના ભાવો છે તે ખરેખર અમારા નથી. આહા... હા ! તે છે તો ખરા, પણ પુદ્ગલદ્રવ્યના ભાવો છે, તે (ખરેખર) મારા નથી. ક્ષાયિકભાવના સ્થાન પણ મારા નથી.
પ્રભુ! આ (સાંભળીને) તો રાડ નાખે રાડ. એક સ્થાનકવાસીએ આ એકતાલીસમી ગાથા વાંચી. અહીંથી નીકળ્યું છે ને... તો ઘણા સ્થાનકવાસી વાંચે છે. ગાથામાં આવ્યું ને...!
જો રમાવતા – જીવને ક્ષાયિકભાવના સ્થાનો નથી. તો કહે કે અરે! ક્ષાયિકભાવ તો સિદ્ધમાં પણ છે, (છતાં) આત્મામાં નહીં? (પણ) બાપુ! કઈ અપેક્ષાએ, પ્રભુ! સિદ્ધ તો પર્યાય છે. સિદ્ધ કોઈ દ્રવ્ય-ગુણ નથી. એ તો પર્યાય છે, તો એ પર્યાય દ્રવ્યમાં નથી.
શુદ્ધભાવ છે ને...! ત્રિકાળ શુદ્ધ, ધ્રુવ, ચૈતન્યભાવ ધ્રુવ, (એ) સમ્યગ્દર્શનનું ધ્યેય છે. અહીં સમ્યગ્દર્શનની પર્યાયને તો ક્ષાયિક અને ક્ષયોપશમમાં નાખી દીધી; એ તો એમાં (ધ્રુવમાં) છે જ નહીં. એમ કહે છે. આહા.. હા ! એનો (ધ્રુવનો) નિર્ણય કરવાવાળી પર્યાય એમાં (ધ્રુવમાં) નથી. આ નથી. આ નથી; પણ એ નિર્ણય તો પર્યાય કરે છે કે ધ્રુવ નિર્ણય કરે છે? મારામાં નથી, મારામાં નથી; પણ “એ નથી” (તે) કોણ? કે-જ્યાં જ્ઞાનની પર્યાય અંદર સ્વસમ્મુખ થઈ તો તે જ્ઞાનની પર્યાય એમ કહે છે કે, “આ (પર્યાય) મારામાં નથી.” એ પર્યાય કહે છે કે, “હું પણ એમાં (ધ્રુવમાં) નથી.' - મારામાં એ (ધ્રુવ ) નથી, ને એમાં (ધ્રુવમાં) હું નથી.
એ તો “સમયસાર” ગાથા-૩ર), જયસેન આચાર્યની ટીકામાં આવ્યું છે ને! ધ્યાતા પુરુષ ખંડખંડ જ્ઞાનને ધ્યાવતા નથી. ટીકા બહુ ઊંચી! ટીકાઃ “વિ ચ विवक्षितैकदेशशुद्धनयाश्रितेयं भावना निर्विकारस्वसंवेदनलक्षणक्षायोपशमिकन्यत्वेनयद्यप्येकदेशव्यक्तिरूपा भवति तथापि ध्याता पुरुषः यदेव सकल निरावरणमखंडैकप्रत्यक्षप्रतिभासमयमविनश्वरं शुद्धपारिणामिकपरमभावलक्षणं निजपरमात्मद्रव्यं तदेवाहमिति भावयति, न च વંડજ્ઞાનપમિતિ ભાવાર્થ.” મતિશ્રુતજ્ઞાન-પર્યાય એ પણ ખંડ જ્ઞાન છે. ધ્યાતા પુરુષ (એટલે) ધ્યાન કરવાવાળા સમ્યગ્દષ્ટિ, એ કોનું ધ્યાન કરે છે? કેઃ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિભામિકપરમભાવલક્ષણ નિજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com