________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬) – પ્રવચન નવનીત: ભાગ-૨ એક અંશ છે. તેથી એ ક્ષાયિકભાવ આદિ છે તે વ્યવહારનયનો વિષય-અંશ છે.
અહીં તો ભગવાન! બધા ભગવાન છે. નિશ્ચયનયથી તો એનું ભગવાન સ્વરૂપ જ છે; પણ એ પણ ભગવાન સ્વરૂપ છે એનો જે નય છે એ નય પણ પ્રમાણનો ભાગ છે, અને એનો વિષય પણ એક અંશ છે. પર્યાયઅંશ છે તે એનો (નિશ્ચયનયનો ) વિષય નથી. આહા.. હા ! ચાહે તો નય ભૂતાર્થને ગ્રહણ કરે પણ એ ભૂતાર્થ પણ અંશ છે. કઈ અપેક્ષાએ? કે-એમાં પર્યાય નથી આવતી એ અપેક્ષાએ. સમજાય છે કાંઈ? ભાષા તો સાદી છે, ભગવાન! પણ જરી ખ્યાલમાં રાખે તો વસ્તુ તો અંદર એવી છે? આહા. હા!
અહીં કહે છે-“શુદ્ધનિશ્ચયના બળે” પણ આ નિશ્ચયનયનું બળ પણ એક અંશને પકડ છે. અંશને અર્થાત્ ધ્રુવને. એ અંશી કહેવામાં આવે છે પણ “નયનો વિષય” અંશ જ છે. (ધ્રુવને) અંશી કહેવામાં આવે છે. આખો ધ્રુવ અંશી છે, સ્વદ્રવ્ય છે. હજી તો આગળ એ લેશે.
સ્વદ્રવ્યનો આધાર પરમપરિણામિકભાવ છે, એવું પણ લેશે. આ તો ધીમે ધીમે (વિષય) ચાલે છે.
નય” સમકિતીને જ હોય છે. અને એને જ વ્યવહારનય હોય છે. બનારસીદાસે (“બનારસીવિલાસ' માં) કહ્યું ને...! “જિન-પ્રતિમા જિન-સારખી” એ આ અપેક્ષાએ કહ્યું. જિન-પ્રતિમા જિન-સારખી, કહી જિનાગમ માંહિ.” જેને નિશ્ચયનયે વેદન–અનુભવ થયો હોય, તેને જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગતા ન થાય ત્યાં સુધી વ્યવહાર આવે છે. પણ એ વ્યવહારનય, એનો વિષય, એ પણ વ્યવહારનયનો વિષય થયો. એ વિષય છે! ભગવાન, દેવ, ગુરુ, શાસ્ત્ર, (એ) સમ્યકવ્યવહારશ્રદ્ધાનો વિષય છે. (“સમયસાર') ૩૧ મી ગાથામાં તો ત્યાં સુધી કહ્યું: “નો રૂરિયે નિશિત્તા” જે ભગવાન છે અને ભગવાનની વાણી છે એ ઇન્દ્રિય છે. શાંતિથી સમજવું. આ જડ ઈન્દ્રિય, અને એક એક વિષયને જાણે છે એ ભાવેન્દ્રિય, અને ઇન્દ્રિયનો વિષય-ત્રણેયને જીતે છે. આહા... હા! ભગવાને તો એમ લીધું. ૩૧મી ગાથામાં ભગવાન કહે છે કે-અમે પણ તારી અપેક્ષાએ ઇન્દ્રિયમાં જઈએ છીએ; અતીન્દ્રિયમાં નહીં. એવો પાઠ છે ને ! નો કુંતિ નિnિત્તા”... દ્રવ્ય. ભાવ અને ઇન્દ્રિયનો વિષય-ત્રણેયને જીતે. જીતેનો અર્થ: તે તરફનું લક્ષ છોડીને.
અહીં કહ્યું છે-જે ધ્રુવ પરમસ્વભાવભાવ, જેને છઠ્ઠી ગાથામાં જ્ઞાયકભાવ કહ્યો, જેને ૧૧મી માં ભૂતાર્થ કહ્યો અથવા પંચમ (ભાવ), પારિણામિકભાવ કહ્યો, તે ઓલા (ઉદયઉપશમ-ક્ષયોપશમ–ક્ષાયિક) ચાર ભાવથી ભિન્ન છે. આહા.... હા ! એ ચાર ભાવ છે ખરા. એનો નય છે અને નયનો વિષય છે ખરો; પણ એ આદરણીય નહીં; જાણવાલાયક છે. (છતાં) એને કાઢી નાખો તો એકાંત થઈ જશે. સમજાણું કાંઈ ?
અહીં કહે છે કે: નિશ્ચયન એક અંશ છે. પ્રમાણનો વિષય બન્ને અંશ સાથે છે-દ્રવ્ય અને પર્યાય. આ નિશ્ચયનયનો વિષય તો એક ત્રિકાળી જ્ઞાયકભાવ, ધ્રુવ, પર્યાય વિનાનો છે; એને પણ એક અંશ કહેવામાં આવે છે. આહા... હા! આ તો ગંભીર વાત-ભાષા છે, પ્રભુ! આ તો ટીકા કોની છે !!
બેને (બહેનશ્રી ચંપાબહેને) “બહેનશ્રીનાં વચનામૃત' બોલ-૧૦પમાં લખ્યું છેઆત્માએ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેષ પરમાર્થે ધારણ કરેલો છે. જ્ઞાયક તત્ત્વને પરમાર્થે કોઈ પર્યાયવેષ નથી.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com