________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનઃ તા. ૪-૨-૧૯૭૮
‘નિયમસાર ’ ગાથા-૫૦. ભેદજ્ઞાનની વિશેષ વાત છે. તદ્દન સૂક્ષ્મ (વિષય) છે. પહેલાં જરી મૂળ પાઠ (અન્નયાર્થ) લઈએઃ “ પૂર્વોક્ત સર્વ ભાવો ” નિર્મળ પર્યાયથી માંડીને રાગ અને નિમિત્ત-એ બધું પદ્રવ્ય છે, પરભાવ છે. “પૂર્વોક્ત સર્વ ભાવો પ૨સ્વભાવો છે, ૫૨દ્રવ્ય છે, તેથી હોય છે; અંત:તત્ત્વ એવું સ્વદ્રવ્ય ”–ત્રિકાળી જ્ઞાયકભાવ, પૂર્ણાનંદસ્વરૂપ, ધ્રુવ-“ આત્મા ઉપાદેય છે.” આહા... હા! એ સ્વદ્રવ્ય ઉપાદેય છે!
[ ટીકાઃ- ] “ આ, હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે.”
ખરેખર એવી વાત છે! તે ‘કલશટીકા' કલશ-૫૯માં કરીઃ “ વાયસો: ” · વા:’ એટલે પાણી. ‘ પયસો: ’ એટલે દૂધ. તે બંને ભિન્ન છે. પછી લશ-૬૦માં લીધું કેઃ અગ્નિસંયોગથી પાણી ઊનું થયું, પણ ઉપણું અગ્નિનું છે, પાણીનું નહીં. પાણી તો સ્વભાવથી શીતળ છે. શીતળપણું પાણીનો સ્વભાવ છે. પણ (એવું) બેઉનું જ્ઞાન થાય છે કોને કે-પાણી શીતળ છે અને ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી અગ્નિના નિમિત્તે ઊનું થયું છે? (‘ઊનું પાણી') અપેક્ષાથી કહેવામાં આવ્યું ( છતાં ) ઉષ્ણતા અગ્નિની છે, એવું ભેદજ્ઞાન કોને થાય? અર્થાત્ એવું યથાર્થ જાણવામાં કોને આવે છે? (કે-) સ્વરૂપગ્રાહી જ્ઞાનીને! આહા... હા! શું કહ્યું ? ‘આત્મા આનંદસ્વરૂપ છે’ એવો જેને અનુભવ થયો, એને સ્વરૂપગ્રાહી જ્ઞાન કહે છે. (એ જ્ઞાન) ઉપાદેય-સ્વરૂપગ્રાહી જ્ઞાન થયું. એને પાણી શીતળ અને (એમાં ) ઉષ્ણતા અગ્નિના નિમિત્તે છે, (એવો ) એનો ભેદ અર્થાત્ યથાર્થ જ્ઞાન, સ્વરૂપગ્રાહી જ્ઞાનીને થાય છે. શું કહ્યું? સમજાય છે કાંઈ ? ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી સ્વભાવથી શીતળ છે; એનું પણ જ્ઞાન-વ્યવહારજ્ઞાન-જેને આત્મજ્ઞાન થયું હોય (તેને થાય છે); અર્થાત્ તેને -સ્વરૂપગ્રાહી જ્ઞાનીને-વ્યવહારનું સાચું જ્ઞાન થાય છે. એમ ને એમ પાણી શીતળ છે અને ઉષ્ણતા અગ્નિના નિમિત્તે થઈ છે, ( શું ) એવો ભેદ, અજ્ઞાનપણામાં હોય ? –ન હોય! એમ કહે છે. ‘કલશ’ ૬૦માં જુઓઃ “ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતળપણાનો ભેદ નિજસ્વરૂપગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે.” -શું કહેવું છે? (કેઃ) ૫૨નું વાસ્તવિક જ્ઞાન પણ, જેને પોતાનું જ્ઞાન થાય છે, તેને થાય છે. આહા... હા! પાણી શીતળ અને ઉષ્ણતા અગ્નિના નિમિત્તે થઈ, એવો પ૨દ્રવ્યનો ભેદ પણ જેને પોતાનું આત્મજ્ઞાન થયું છે (તેને જ થાય છે). રાગથી ભિન્ન થઈને આનંદનો અનુભવ આવ્યો, એ આનંદનો અનુભવી જીવ, સ્વરૂપગ્રાહી જ્ઞાનથી એને (–શીતળતા અને ઉષ્ણતાને ) ભિન્ન જાણે છે. ( કોઈ ) કહે કેઃ (શું ) લૌકિક (જનો) નથી જાણતા ? તો કહે છે કેઃ ના. પણ એમાં (‘કલશ’ માં ) છે કે નહીં? કારણ છે કે નહીં? ‘મોક્ષમાર્ગપ્રકાશક' માં (પણ ) લીધું છેઃ અજ્ઞાનીને ત્રણ વિપર્યાસ હોય છે–કારણવિપર્યાસ, સ્વરૂપવિપર્યાસ અને ભેદાભેદવપર્યાસ. એ તો અજ્ઞાનીને હોય જ છે. એમ કહે છે કે: અજ્ઞાની, (અર્થાત્ ) જેને આત્મા આનંદસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, એવું જ્ઞાન જેને થયું નથી; અને (જ્ઞાન) રાગથી ભિન્ન છે, એવું ભાન જેને થયું નથી ૫૨દ્રવ્યને જાણવામાં પણ ત્રણ (વિપર્યાસ ) માંથી કોઈ ને કોઈ ભૂલ તો કરે જ છે. સમજાણું કાંઈ? પાઠ (કલશ ) તો એમ છે: “ જ્ઞાનાવેવ જ્વલનપયસોરોળ્યશૈત્યવ્યવસ્થા.” એ જ્ઞાન એટલે સ્વરૂપગ્રાહી [પાછળ અર્થ લીધો છે–નિજસ્વરૂપગ્રાહી ] જ્ઞાન- ‘હું જ્ઞાનસ્વરૂપી છું, રાગથી ભિન્ન છું,' એવું ભેદજ્ઞાનજેને થયું હોય તે જ પાણીની શીતળતા અને અગ્નિની ઉષ્ણતાનો યથાર્થ બોધ કરી શકે છે. અજ્ઞાનીને તો કાંઈ પણ ભૂલ થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com