________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ - પ્રવચન નવનીત: ભાગ-૨ છે. એનું જ્ઞાન જેને થયું હોય (તેને) તેના ઉપાદેયપણાનું જ્ઞાન થયું હોય છે, અને એને (જ) પદ્રવ્ય એટલે પર્યાય (ના હેયપણાનું જ્ઞાન યથાર્થ થાય છે). આહા.... હા! પર્યાય (માત્ર) પરદ્રવ્ય છે! રાગ-વ્યવહાર એ તો પરદ્રવ્ય, ક્યાંય રહી ગયા! અને નિમિત્ત પરદ્રવ્ય (એ પણ) ક્યાંય રહી ગયું!
આ હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે.” હેય એટલે ત્યાગ અને ગ્રહણ એટલે ઉપાદેય. આ રાગનો ત્યાગ અને સ્વરૂપની ઉપાદેયતા અર્થાત્ સ્વરૂપનું ગ્રહણ એટલે કે ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે. આ ૫૦મી ગાથામાં સ્વરૂપનું કથન છે.
ઘણી સૂક્ષ્મ વાત છે, ભગવાન! આ તો ધીરાનાં કામ છે! આમ તો નવમી રૈવેયકે ગયો, પંચ મહાવ્રત ધારીને સાધુ થયો, નિરતિચાર-અંશે પણ અતિચાર નહીં, એવાં વ્રત (પાળ્યાં) છતાં મિથ્યાષ્ટિ ! કારણ કે (તેને) અંદરમાં ઊંડે ઊંડે એ રાગના અંશની ઉપાદેયતા (વર્ત) છે. કેમકે, તેની દષ્ટિ ત્યાં (રાગ ઉપર) પડી છે ને....! સમજાણું કાંઈ ? અને સમ્યગ્દષ્ટિને (તો પર્યાયમાત્ર હેયપણે ભાસે છે).
આહા.... હા ! કહ્યું ને..? શ્રેણિક રાજાએ માથું ફોડયું કે ગમે તે (રીતે) મરણ કર્યું ને....! પણ એ રાગધારા (છે, એનાથી) ભિન્ન જ્ઞાન(ધારા) છે. “રાગ” એ પરદ્રવ્યનો દોષ છે. એ દોષ સમકિતનો નથી, ચારિત્રદોષ છે. ચારિત્ર-દોષથી શ્રદ્ધા-સમ્યગ્દર્શનમાં કોઈ દોષ લાગતો નથી ! કારણ કે બન્ને ગુણ ભિન્ન છે. (જો ચારિત્ર-દોષથી) સમ્યગ્દર્શનમાં દોષ લાગે, તો ચારિત્ર પૂર્ણ થાય ત્યારે સમ્યકત્વ (પૂર્ણ) થાય; પણ એવી તો (વસ્તુસ્થિતિ ) નથી! ચારિત્ર પૂર્ણ થાય ત્યારે સમ્યગ્દર્શન પૂર્ણ થાય એમ તો બનતું નથી ! (પ્રથમ સમ્યકત્વ પૂર્ણ થાય છે.)
ગોમ્મસાર” માં કહ્યું છે: અવિરત (અવ્રતી) સમ્યગ્દષ્ટિ છે, તે ઇન્દ્રિયથી (ઇન્દ્રિયોના વિષયથી) અને હિંસાદિથી વિરક્ત નથી. “એ હજુ વિરક્ત નથી” એ કઈ અપેક્ષાએ? કે એ આસક્તિની અપેક્ષાએ વિરક્ત નથી. બાકી સમ્યગ્દર્શનની અપેક્ષાએ તો તે ઇન્દ્રિયોથી વિરક્ત છે!
સમયસાર' ગાથા-૩૧ (માં તો એમ કહ્યું છે કે:) “નો રૃરિયે નિત્તા [[સાવાધિયું HUરિ ગાવું.” જેણે ઇન્દ્રિયો જીતી છે. જીતીનો અર્થ શું ? કે દ્રવ્યઇન્દ્રિય, ભાવઇન્દ્રિય અને ઇ વિષય (એ ત્રણેયને જીતી છે). ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થમાં ભગવાનની વાણી (પણ આવી જાય છે, એમ) કહીએ છીએ તો બિચારા લોકોને આકરું પડે છે કે તમે ભગવાનની વાણીને ઇન્દ્રિયનો (વિષય) કહો છો ? અહીં તો (એને પણ ) ઇન્દ્રિયમાં નાખી છે. ચાહે તો જડ ઇન્દ્રિય હોય, ચાહે તો ભાવેન્દ્રિય હોય, ચાહે તો ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થ હોય-ભગવાનની વાણી વગેરે હોય-એ ત્રણેયને ઇન્દ્રિય કહી છે. એ ત્રણેય ઇન્દ્રિયને જીતવી, “નો વિયે નિગિતા” ઇન્દ્રિયને જીતવાનો અર્થ કેઃ પરતરફનું લક્ષ છોડીને, સ્વ અતીન્દ્રિય આત્માની દષ્ટિ કરવી, અનુભવ કરવોએને (અહીં) ઇન્દ્રિયને જીતી, એમ કહેવામાં આવે છે.
અને “ગોમટસાર” માં જે કહ્યું કે: “સમકિતી ઇન્દ્રિયોથી વિરક્ત નથી” તે (વાત) આ નથી. સમકિતી ઇન્દ્રિયોમાં આસક્ત તો છે. એને રાગ પણ છે, વિષયવાસના પણ થાય છે, લડાઈ પણ થાય છે. સમકિતીને, ક્ષાયિકસમકિતીને લડાઈ ?! તીર્થંકર-શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ-ચક્રવર્તી, ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન અને ક્ષાયિક સમકિતી, એને ૯૬ હજાર સ્ત્રીઓના ભોગ અને લડાઈ ! આહા... હા ! જરી રાગ હોય છે. પણ (તેઓ) એ રાગને કર્મધારા જાણીને, (સ્વના ગ્રાહક છે. તે તો એને (રાગને).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com