________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર – પ્રવચન નવનીત: ભાગ-૨ મોક્ષમાર્ગ-થાય છે. મોક્ષમાર્ગ પણ એ ધ્રુવના આશ્રયે થાય છે અને મોક્ષ પણ ધ્રુવના આશ્રયે થાય છે. નિશ્ચયમોક્ષમાર્ગ હોં! વ્યવહારમોક્ષમાર્ગ એ કોઈ વસ્તુ જ નથી. એ તો વિકલ્પ છે. એ કોઈ માર્ગ છે જ નહી. પણ નિશ્ચયમોક્ષમાર્ગ જે સત્યમાર્ગ છે. (–એ પણ), જે પરમપારિણામિક સ્વભાવભાવ, અતિરૂપસંબંધ, મહાપ્રભુ, ચૈતન્યામૃત, ચૈતન્યના અમૃતના પૂરથી ભરેલો ભગવાન, અનંત ચતુષ્ટયની શક્તિ-સામર્થ્યથી–બળથી-સ્વભાવથી ભરેલો ભગવાન (છે) –એમાં (નથી)! (એમાં) તો ચારે ભાવો ય નથી !
એક ભાઈએ કરણાનુયોગ ઘણું વાંચ્યું છે એમાંથી એમ કહે છે કે જુઓ-લબ્ધિથી આ (સમકિત) થાય છે. પણ ત્યાં લબ્ધિ છે એ શુભભાવ છે અને શુભભાવથી અંદર (સમકિત) થાય છે (એમ ખરેખર નથી). અરે ભગવાન! જે પાંચ લબ્ધિ છે તેને તો અહીં ક્ષયોપશમભાવમાં નાખી છે, અને (કહે છે કેઃ) એ ક્ષયોપશમભાવ વસ્તુમાં નથી. અરે.... રે! જેમાં (જે) નથી તેના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન થાય?
| ગોમટસાર” માં કરણલબ્ધિ, દેશનાલબ્ધિ આદિ પાંચ લબ્ધિ આવે છે ને..! પહેલું સમકિત પામતાં પહેલાં પાંચ લબ્ધિ આવે છે. આમાંય (“નિયમસાર) ગાથા-૪૧ માં આવે છે. આમાં જરી ફેર કર્યો છે. તેમાં જે ક્ષયોપશમ લીધી તેને અહીં કાળલબ્ધિ લીધી છે. બે ઠેકાણે છે. કાળલબ્ધિ, કરણલબ્ધિ, ઉપદેશલબ્ધિ (એ દેશનાલબ્ધિ), ઉપશમલબ્ધિ અને પ્રાયોગ્યતાલબ્ધિ-એ પાંચ લબ્ધિ છે; પણ એ પાંચ લબ્ધિ વસ્તુમાં નથી. એ પાંચ લબ્ધિથી (સમકિત) પ્રાપ્ત થાય એ પણ વ્યવહાર છે. ભાઈ ! આવી વાતો છે !!
મુંબઈમાં કરણાનુયોગના પ્રશ્ન મૂક્યા હતા-આનું કેમ અને આનું કેમ? પણ ભાઈ ! આ ચર્ચાનો વિષય નથી, વાદનો વિષય નથી, ભગવાન !
(અહીંયાં કહે છે કે, એક સમયની પર્યાય ચાહે તો કેવળજ્ઞાન હોય કે ચાહે તો સિદ્ધ (દશા) હોય (પણ) એ અંદર પરમસ્વભાવ (ભાવ) નથી.
જિજ્ઞાસા - એ સિવાય આખી ચીજમાં એ પર્યાય છે જ નહીં ?
સમાધાનઃ- એ ચીજ (પરમસ્વભાવભાવ) સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શન છે પર્યાય, પણ એ પર્યાય એમાં નથી. એના (પરમસ્વભાવભાવના) આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે. પણ કરણલબ્ધિથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે એ તો વ્યવહારથી કહેવામાં આવ્યું છે.
અહીં કરણલબ્ધિને ક્ષયોપશમ (ભાવ) માં નાખી છે. બે ઠેકાણે છે. (“નિયમસાર') ગાથા-૪૧ માં છે: કાળલબ્ધિ, કરણલબ્ધિ, ઉપદેશલબ્ધિ, ઉપશમલબ્ધિ અને પ્રાયોગ્યતાલબ્ધિ-એ ભેદ ક્ષયોપશમભાવના છે. એ આત્મામાં નથી. અને બીજે ઠેકાણે ગાથા-૧૫૬માં છે: TIMનીવા ||||— TIMવિરું હવે નવ્વી તન્હા વનયવિવાવું સT૫૨મહિં વgિgો–એમાં (ટકામાં) પણ લબ્ધિ પાંચ લીધી છેઃ કાળ, કરણ, ઉપદેશ, ઉપશમ અને પ્રાયોગ્યતારૂપ ભેદોને લીધે (લબ્ધિ) પાંચ પ્રકારની છે. આહા... હા! શું કહેવું છે? (એમ કહેવું છે) કે એ કરણલબ્ધિ અને દેશનાલબ્ધિ પણ હેય છે. એમ આવ્યું.... ને, ભાઈ ! કાળલબ્ધિ અહીં ક્ષયોપશમ છે ને...! પાંચ લબ્ધિમાં એ ક્ષયોપશમલબ્ધિમાં અહીં કાળલબ્ધિ લીધી છે. જે સમયે જે થવાનું હશે તે થશે” એ કાળલબ્ધિ. અહીંયાં એ ક્ષયોપશમભાવમાં લીધી છે. છતાં એ કાળલબ્ધિ વસ્તુમાં નથી. (વળી આચાર્યદવ ફરમાવે છે કે:) વચનવિવાદ સમયો અને પરસમયો સાથે કરીશ નહીં, ભાઈ ! પ્રભુ ! આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com